સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાલાવડના નાગરિકો સફાઈ અભિયાનમાં જોડાયા
જામનગર તા.૭ ઓક્ટોબર, જામનગર જિલ્લામાં સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે વિવિધ સ્થળોની સફાઈ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે કાલાવડમાં નાગરિકો સ્વૈચ્છિક રીતે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા અને રોડ રસ્તા, કેનાલો, શેરી વગેરે સ્થળોએ સફાઈ કરી અન્ય લોકોને પણ સ્વચ્છતા જાળવવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આગામી તા. ૩૧ ઓક્ટોબર સુધી ગુજરાતમાં ચાલનાર આ અભિયાન અંતર્ગત દૈનિક તેમજ અઠવાડિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. જેમાં રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, માર્ગો, ઐતિહાસિક, ધાર્મિક અને પ્રવાસન સ્થળો, જળ સંસ્થાનો, પ્રતિમાઓ, માર્કેટ જેવા જાહેર સ્થળો ઉપરાંત સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં પણ સાફ-સફાઈ હાથ ધરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech