ભવ્ય સંતવાણીનું તા. ૨૧ના રોજ ભવ્ય આયોજન
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલ પ્રખ્યાત શ્રી નાથજીદાદાની પાવન જગ્યા દાણીધારધામમાં ૩૯૮મા શ્રાદ્ધ ઉત્સવ આગામી તા. ૨૧-૦૯-૨૦૨૪ ભાદરવા વદ -૪ ને શનિવારના રોજ ઉજવવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દાણીધાર ગામમાં શ્રી નાથજીદાદાનો ૩૯૮મો શ્રાદ્ધ ઉત્સવ સવારે ૭:૦૦ કલાકે થી સમાધિ પૂજન થી શરૂ થશે. ત્યારબાદ ૧૦.૩૦ કલાકે ૫૧ થાળ ધરાવવામાં આવશે અને સવારે ૯-૩૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી બરડિયા ગ્રુપ દ્વારા કાન ગોપીનો ભવ્ય કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે.
આ ઉપરાંત, રાત્રે ૯:૦૦ કલાકે ગૌશાળાના લાભાર્થે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લોક ભજનિક અજયસિંહ ડાભી, લોકગાયક વિપુલભાઈ દાણીધારિયા, સંતવાણી કલાકાર કાળુભાઇ દાણીધારિયા, લોકગાયિકા શીતલબેન રાજપૂત આ ભવ્ય લોકડાયરામાં ભાવિકોનું મનોરંજન કરશે.
દાણીધાર ધામના શ્રી નાથજીદાદા ટ્રસ્ટ અને શ્રી નાથજીદાદા ગૌશાળા ટ્રસ્ટ ના મહંત શ્રી ૧૦૦૮ સુખદેવદાસજીબાપુ ગુરુ શ્રી ચત્રભુજદાસજી (શ્રી ઉપવાસીબાપુ) અને ટ્રસ્ટીઓ એ સર્વ સેવકગણ અને ધર્મપ્રિય ભક્તોને આ કાર્યક્રમનો લાભ લેવા હૃદયપૂર્વક નિમંત્રણ આપ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech