કબરકાના યુવાનનું ગળાફાંસાના કારણે મૃત્યુ

  • June 17, 2024 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ તાબેના કબરકા ગામે રહેતા લાલુભાઈ ઉર્ફે બાબુભાઈ રણમલભાઈ રાઠોડ નામના 40 વર્ષના યુવાનનું ખાટલાના પાયામાં સાડી વડે ગળાફાંસો ખાઈ જતા મૃત્યુ નિપજ્યું હોવાની જાણ જીણાભાઈ ડાયાભાઈ રાઠોડએ સ્થાનિક પોલીસને કરી છે. જે અંગે પોલીસે અકસ્માત મૃત્યુ અંગેની નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.


પ્રેમ સંબંધમાં યુવતીના પરિવારજનોએ સગાઈની ના કહેતા સુરજકરાડીના યુવાને આપઘાત કર્યો

ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા નયનભાઈ નાનજીભાઈ સિંગરખીયા નામના 24 વર્ષની યુવાનને આ જ વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ હોય, જેમાં યુવતીના પરિવારજનોએ આ બંને વચ્ચે સગાઈ કરવાની ના કહી દીધી હતી. જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી વ્યથિત અવસ્થામાં રહેતા નયનભાઈ સિંગરખીયાએ ગઈકાલે રવિવારે પોતાના ઘરે રૂમમાં રહેલા પંખામાં ઓછાડ વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના માતા જશુબેન નાનજીભાઈ સિંગરખીયાએ મીઠાપુર પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application