કેનેડામાં રાજકીય કટોકટી વધુ ઘેરી બની રહી છે અને રાષ્ટ્ર્રપતિ જસ્ટિન ટ્રુડો પર અવિશ્વાસની દરખાસ્તનું દબાણ અને પાર્ટીની અંદરના અસંતોષે તેમની સ્થિતિને પડકારજનક બનાવી દીધી છે, જેના પગલે તેમને રાજીનામું આપવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.ખાલિસ્તાની નેતા જગમીત સિંહે ટ્રુડો સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવાની જાહેરાત કર્યા બાદ એવા અણસાર સાપડી રહ્યા છે કે જસ્ટિન ટ્રુડો થોડા દિવસો માટે મહેમાન હોઈ શકે. ભારત સાથે વિવાદ વચ્ચે પીએમને પદ છોડવું પડી શકે છે.
જસ્ટિન ટ્રુડો પર રાજીનામું આપવાનું દબાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. દરમિયાન, ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી, જે એક સમયે ટ્રુડો સરકારની સાથી હતી. તેણીએ જાહેરાત કરી છે કે તે આગામી દિવસોમાં ટૂંક સમયમાં ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા જઈ રહી છે. આ મામલે એમડીપી નેતા જગમીત સિંહ, જેઓ ખાલિસ્તાની સમર્થક છે. તેમણે કહ્યું છે કે તેઓ આવતા મહિને ૨૭ જાન્યુઆરીએ ચૂંટાયેલા હાઉસ ઓફ કોમન્સમાં ઔપચારિક રીતે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવા જઈ રહ્યા છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના નવ વર્ષથી વધુ સમયના કાર્યકાળ પરનું સંકટ ઘેરી બની રહ્યું છે. વિરોધ પક્ષોએ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી છે અને જો આ દરખાસ્ત સફળ થશે તો દેશમાં સામાન્ય ચૂંટણીની જર પડશે. કેનેડામાં અવિશ્ર્વાસની દરખાસ્ત અને પાર્ટીની અંદરના અસંતોષે તેમનું સ્થાન ડગમગાવ્યું
હું પીએમ પદ છોડીશ નહીં: જસ્ટિન ટ્રુડોનું નિવેદન
રાજીનામાના અહેવાલો વચ્ચે ટ્રુડોએ કહ્યું કે તેઓ પીએમ પદ છોડવાના નથી. તે પોતાની પાર્ટીનું નેતૃત્વ કરીને આગામી ચૂંટણી લડશે. પરંતુ જગમીત સિંહે એમ પણ કહ્યું કે સરકારનો સમય પૂરો થઈ ગયો છે. લિબરલ પાર્ટીનું નેતૃત્વ કોઈ પણ કરે, આ સરકાર હવે ચાલી શકે નહીં. તેથી તેમણે હાઉસ ઓફ કોમન્સમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની જાહેરાત કરી છે. વિરોધ પક્ષોએ પણ આ સંબંધમાં સમર્થન દર્શાવ્યું છે, જેમ કે બ્લોક કિવબેકોઈસ અને કન્ઝર્વેટિવ પાર્ટીએ આ પ્રસ્તાવ માટે સંમતિ દર્શાવી છે.
૨૦ લિબરલ ધારાસભ્યોએ ટ્રુડોને પદ છોડવાનું કહ્યું
ટ્રુડોએ તાજેતરમાં કેબિનેટ ફેરબદલની અધ્યક્ષતા કરી હતી, જે દર્શાવે છે કે તેઓ તેમના પદ પર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રુડો ક્રિસમસની રજાઓમાં પોતાના ભવિષ્ય પર વિચાર કરશે. રાજીનામાના કિસ્સામાં, લિબરલ પાર્ટીએ વચગાળાના નેતા સાથે ચૂંટણી લડવી પડી શકે છે, જે અગાઉ કયારેય બન્યું નથી. તે જ સમયે, લગભગ ૨૦ લિબરલ ધારાસભ્યોએ ટ્રુડોને પદ છોડવાનું કહ્યું છે. જો કે, ટ્રુડોના કેબિનેટ સભ્યો હજુ પણ વફાદાર રહે છે. જો ટ્રુડો તેમની સરકાર બચાવવામાં સફળ થાય તો પણ લોકપ્રિયતામાં ઘટાડો થવાને કારણે તેમની સ્થિતિ નબળી રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિતે સન્માન સભા
April 24, 2025 11:13 AMઅસીમ મુનીર ઓસામા જેવો આતંકવાદી ભારતે પાકિસ્તાનનું ગળું ઘોંટી નાખવું જોઈએ
April 24, 2025 11:10 AMવેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ એકાએક બંધ: નોટીસ ઇસ્યુ
April 24, 2025 11:09 AMઆરોગ્ય તંત્ર દ્વારા લૂ (હિટ વેવ) લાગવાથી રક્ષણ મેળવવા અંગેની માર્ગદર્શિકા જાહેર
April 24, 2025 11:06 AMગૌતમ ગંભીરને 'ISIS કાશ્મીર' તરફથી મળી જાનથી મારી નાખવાની ધમકી
April 24, 2025 11:04 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech