હોળી,ધુળેટીનો તહેવાર નજીકમાં હોય પરિવારજનો સાથે તહેવારની ઉજવણી થઈ શકે તે માટે શ્રમિકો માદરે વતન જતા હોય છે .આ ઉપરાંત ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ પણ પ્રવાસીઓની વધુ ભીડ રહે છે.આગામી દિવસોમાં મુસાફરોના ઘસારાને ધ્યાને લઈ જૂનાગઢ એસટી ડિવિઝન દ્રારા દાહોદ, છોટાઉદેપુર , દ્રારકા, સોમનાથ, રાજકોટ સહિત રાયના વિવિધ જિલ્લ ાના ટ પર વધારાની ૯૦ બસ શ કરાઈ છે.
હોળી ધુળેટીના પર્વને માત્ર ત્રણ દિવસ બાકી રહ્યા છે. જૂનાગઢ જિલ્લ ામાં ગ્રામ્ય વિસ્તારોમાં મજૂરી અને ખેતી કામ માટે સંકળાયેલા હોય શ્રમિકો તહેવારો પૂર્વે માદરે વતન જતા હોય જેથી મુસાફરોની વધુ ભીડને ધ્યાને લઈ જૂનાગઢ એસટી ડિવિઝન દ્રારા પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, કચ્છ સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ સહિતના વિવિધ ટ પર તા.૧૯ માર્ચ સુધી વધારાની ૯૦ બસ શ કરવામાં આવી છે.એસ.ટી. વિભાગીય નિયામક રાવલના જણાવ્યા મુજબ રજા દરમિયાન ભીડના કારણે પ્રવાસીઓને અવર–જવર માટે મુશ્કેલી ન થાય તે માટે એડવાન્સ બુકિંગ પણ થઈ રહ્યું છે.
જૂનાગઢ ડિવિઝનમાં ૯ ડેપોનો સમાવેશ થાય છે. મુસાફરોની અવરજવરને ધ્યાને લઈ એસટી ડિવિઝન દ્રારા જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, કેશોદ, જેતપુર, ઉપલેટા, ધોરાજી, માંગરોળ,બાંટવા તમામ નવ ડિવિઝનમાં વધારાની ૧૦–૧૦ બસ ફાળવવામાં આવી છે. વધારાની બસનો બે દિવસ પૂર્વે પ્રારભં થયો છે. હજુ ખાસ ટ્રાફિક ન હોવાથી દૈનિક બે થી ત્રણ બસ ચલાવવામાં આવી રહી છે. પરપ્રાંતીય મજૂરો દ્રારા તેના વતન જવા તૈયારી કરી રહ્યા છે. એડવાન્સ બુકિંગ નો પ્રારભં થઈ ગયો છે. આવતીકાલથી જૂનાગઢ ડિવિઝનના તમામ ડેપો પર મુસાફરોનો ઘસારો રહેશે.હોળી ધુળેટી પર્વ અંતર્ગત ટ્રાફિકને ધ્યાને લઈ જૂનાગઢ ડિવિઝનની ૯૦ બસ વિવિધ ટ પર દોડાવવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech