ભાજપ્ના સાંસદ રાજેશ ચુડાસમાએ વિરોધીઓને ખુલ્લી ધમકી આપી છે. પ્રાચીમાં જાહેર મંચ પરથી પાંચ વર્ષ નડયા તેને નહીં છોડવાની ધમકી આપી છે.
પ્રાચીમાં ધારાસભ્ય ભગવાન બારડે અભિવાદન કાર્યક્રમ યોજ્યો હતો તેમાં બોલતાં મંચ પરથી રાજેશ ચુડાસમાએ વિરોધીઓને ચીમકી આપી કે ભાજપ હિસાબ કરે કે ના કરે પણ હું કોઈને છોડીશ નહીં.
2024ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં રાજેશ ચુડાસમા જુનાગઢ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. આ ચૂંટણીમાં હીરા જોટવા (કોંગ્રેસ)ને 4,44,156 મત મળ્યા હતા, જ્યારે રાજેશ ચુડાસમા (ભાજપ)ને 5,78,516 મત મળ્યા હતા. ત્યારે ભાજપ્ના રાજેશ ચુડાસમા 1,34,360 મતથી ભાજપ્ની જીત થઈ હતી.
હમણાં જ બિહારમાં જનતાદળના એક સાંસદે એવું કહ્યું હતું કે તેઓ મુસ્લિમો અને યાદવોના કામ નહીં કરે કારણકે તેમણે મને મત નથી આપ્યા. રાજેશ ચુડાસમાનું નિવેદન પણ આને જ મળતું આવે છે. ચુડાસમા છેલ્લા વર્ષોમાં વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે જેમાં ડોકટર ચગના આપઘાતની ઘટના પણ સામેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘાંટવડ ગામ માં આંખલાઓ નાં આંતક થી લોકો નાં જીવ જોખમમાં
July 04, 2024 06:03 PMજુઓ પોરબંદરમાં 50 ફૂટ ઊંડા કૂવામાંથી કઈ રીતે બચાવાયો સાપનો પરિવાર
July 04, 2024 06:01 PMજુઓ પોરબંદરના બંગડી બજારમાં પોલીસ શા માટે દોડી ગઈ
July 04, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech