રૂ. દસ લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં જસદણ જિનિંગના ભાગીદારોનો છુટકારો

  • May 29, 2025 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ધંધાના વિકાસ માટે લીધેલા રૂપિયા 90 લાખ પૈકી દસ લાખ પરત કરવા અંગેનો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે જસદણની જલારામ જિનિંગ ફેકટરીના ભાગીદારોને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ, જસદણમાં આવેલી જલારામ જિનિંગ ફેકટરીના ભાગીદારોને ધંધાના વિકાસ અર્થે ૧૫ દિવસ માટે રૂપિયાની જરૂરીયાત ઉભી થતા હરીભાઈ ચંદારાણા અને તેમના પુત્ર પાસેથી કુલ રૂ. ૯૦ લાખ લીધા હતા. જે રકમ ચુકવવા માટે આપેલા ચેકો પૈકી એક રૂ. ૧૦ લાખનો ચેક પરત ફરતા હરિભાઈ ચંદારાણાએ જિનિંગના ભાગીદારો જયેશ અરવિંદભાઈ પોપટ, ધનશ્યામ અરવિંદભાઈ પોપટ તથા હર્ષદ અરવિંદભાઈ પોપટ સામે  ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરી હતી.

આ કેસમાં આરોપીઓનો બચાવ એવો હતો કે ફરીયાદી દ્વારા આપવામાં આવેલ રકમ બીજા જ દિવસે ફરીયાદીની અન્ય ભાગીદારી પેઢીમાં ટ્રાન્સફર કરવામાં આવેલ હતી અને તે ભાગીદારી પેઢીમાંથી પાછી ફરીયાદીના ખાતામાં તે રકમ ટ્રાન્સફર થઈ ગયેલ હતી, અને તે રીતે ધંધાના વિકાસ માટે કોઈ જ રકમ આપવામાં આવેલ ન હતી માત્ર કાગળ પર એન્ટ્રીઓ ફેરવવા માટે જ હાલની રકમનો ઉપયોગ થયેલ હતો અને આજ વ્યવહારના અન્ય કેસમાં પણ આરોપીઓને નિર્દોષ છોડી મુકવામાં આવેલ હોય તે હકીકત લક્ષમાં લઈ રાજકોટના પાંચમા એડિશનલ સિનિયર સિવિલ જજ ડી.આર. જગુવાલાએ આરોપી જયેશ અરવિંદભાઈ પોપટ, ધનશ્યામ અરવિંદભાઈ પોપટ તથા હર્ષદ અરવિંદભાઈ પોપટને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીઓ વતી દફતરી લો ચેમ્બર્સના વિદ્વાન ધારાશાસ્ત્રી પથીકભાઈ દફતરી, ભાવિન દફતરી, નુપુરબેન દફતરી, નેહાબેન ભાવિન દફતરી, યુવરાજસિંહ જાડેજા, સંજયસિંહ જાડેજા, પરેશ કુકાવા, નીશાબેન સુદૃા, શીવાંગી મઠીયા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application