'કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીમાં જિન્નાનો આત્મા...', સીએમ યોગીએ કટ્ટરવાદી તાકાતનો કર્યો ઉલ્લેખ 

  • August 28, 2024 06:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે (28 ઓગસ્ટ) અલીગઢ પહોંચ્યા હતા. સીએમ યોગીએ અલીગઢમાં યુવાનોને નિમણૂક પત્રો, ઉદ્યોગ સાહસિકોને લોન, વિદ્યાર્થીઓને ટેબલેટ/સ્માર્ટફોનનું વિતરણ અને રૂ. 705 કરોડના વિકાસ પ્રોજેક્ટના ઉદ્ઘાટન/શિલારોપણના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન સીએમ યોગીએ કાર્યક્રમમાં જનતાને સંબોધિત કરી અને કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું હતું.


મંચ પરથી જનતાને સંબોધતા સીએમ યોગીએ કહ્યું કે કોંગ્રેસ હોય કે સમાજવાદી પાર્ટી, લાગે છે કે તેમની અંદર જિન્નાની આત્મા પ્રવેશી ગઈ છે. ઝીન્નાએ દેશના ભાગલા પાડવાનું પાપ કર્યું હતું અને તેથી છેલ્લી ક્ષણે ગૂંગળામણથી તે મૃત્યુ પામ્યા. આ લોકો આજે એ જ પાપ કરી રહ્યા છે, સમાજમાં ભાગલા પાડી રહ્યા છે. સામાજને છિન્ન ભિન્ન કરી રહ્યા છે. તેઓ કટ્ટરવાદી તાકાત અને તેમની હિંમત વધારવા માટે કામ કરી રહ્યા છે.


સમાજવાદી પાર્ટીએ યુપીને રમખાણ રાજ્ય બનાવી દીધું છે - સીએમ યોગી


જ્યારે સીએમ યોગીએ કહ્યું કે સમાજવાદી પાર્ટીએ ઉત્તર પ્રદેશને 'દંગા પ્રદેશ' બનાવી દીધું છે. આજે ઉત્તર પ્રદેશ સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભરતાનું લક્ષ્ય હાંસલ કરી રહ્યું છે. ઓળખ સંકટનો સામનો કરી રહેલું ઉત્તર પ્રદેશ આજે દેશનું અગ્રણી રાજ્ય બની ગયું છે. આ સરકારમાં દરેકને રોજગાર મળી રહ્યો છે, કોઈની સાથે કોઈ ભેદભાવ થતો નથી. અમે રાજ્યમાં 6.5 લાખ યુવાનોને નોકરી આપી છે અને 2 કરોડથી વધુ યુવાનોને રોજગારી આપી છે.


અલીગઢ પહોંચેલા સીએમ યોગીએ કન્નૌજ-અયોધ્યા રેપ કેસનો ઉલ્લેખ કરીને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ પર જોરદાર નિશાન સાધ્યું. સીએમ યોગીએ કહ્યું કે વિકાસમાં કોઈ વિસ્તાર પાછળ નહીં રહે, વિકાસ દરેક ઘરે પહોંચશે. દેશના વિકાસમાં અવરોધરૂપ તત્વોને આગળ વધવા દેવા


ન જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application