દેવગાણાના કોબ્રા કમાન્ડો મેડુલભાઈ સોલંકીને ઝારખંડ મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

  • May 27, 2025 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગઈ ૨૧ મી તારીખે નારાયણપુરના અબુઝમાડ જંગલમાં માઓવાદીઓ સાથે ભારતીય સેનાની  ભીષણ અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં ૨૭ કટ્ટર નક્સલીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટરમાં કોબ્રા બટાલિયનના સૈનિક મેહુલભાઈ સોલંકી શહીદ થયા હતા. 
શહીદ સૈનિક મેહુલભાઈ સોલંકી ગુજરાતના ભાવનગર સિહોરના દેવગાણા ગામના રહેવાસી હતા. ઝારખંડના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈ અને ગૃહમંત્રી વિજય શર્માએ શહીદ સૈનિક મેહુલભાઈ સોલંકીને શ્રદ્ધાંજલિ આપી હતી. 
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બન્નેએ  શહીદ જવાનના પાર્થિવ દેહને ખભા પર ઉઠાવ્યો હતો. આ સાથે  મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સૈનિકોની શહાદત વ્યર્થ નહીં જાય. અમે નિર્ધારિત સમય મર્યાદામાં માઓવાદીઓનો નાશ કરવામાં સફળ થઈશું. 
સીએમ વિષ્ણુ દેવ સાંઈએ કહ્યું હતું કે, બસ્તરમાં ટૂંક સમયમાં શાંતિ સ્થાપિત થશે. ગઈ તા. ૨૧મી મેના રોજ  નારાયણપુરના અબુઝહમાડમાં સૈનિકો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી જેમાં ૨૭ નક્સલવાદીઓ માર્યા ગયા હતા. માર્યા ગયેલા નક્સલીઓમાં સીપીઆઈ (માઓવાદી) સંગઠનના મહાસચિવ બસવ રાજુનો પણ સમાવેશ થાય છે.  બસ્તર રેન્જના પોલીસ મહાનિરીક્ષક (આઈજી) પી સુંદરરાજે જણાવ્યું હતું કે, બસવ રાજુએ સુરક્ષા દળો અને જનપ્રતિનિધિઓ પર અનેક નક્સલી હુમલાઓનું આયોજન કરવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. અને તેમના મૃત્યુને નક્સલ વિરોધી કાર્યવાહીમાં એક મોટી સિદ્ધિ ગણાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application