જેતપુર નગરપાલિકામાં વર્ષ ૨૦૧૮માં ઘનકચરાના કોન્ટ્રાકટના ટેન્ડર પ્રક્રિયામાં ગેરરીતિની ફરીયાદમાં તકેદારી આયોગ દ્રારા સેનિટેશન ઇન્સપેકટર અને એકાઉન્ટન્ટ પર પગલાં ભરવાના અભિપ્રાય બાદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્રારા બંને કર્મચારીઓને હાલના હોદા કરતા એક ગ્રેડ નીચો એક વર્ષ સુધી પગાર આપવાના પગલાં ભરવાના હળવા પગલાં ભરી કર્મચારીઓને ડિસમિસ થતા બચાવી લીધાં હતા.
જેતપુર નગરપાલિકામાં વર્ષ ૨૦૧૮માં શહેરમાંથી ઘનકચરો વજનના આધારે ઉપાડવાનું એક ટેન્ડર તત્કાલીન ચીફ ઓફિસર ભરત વ્યાસ દ્રારા બહાર પાડવામાં આવેલ. ત્યારબાદ આ ટેન્ડરની કોઈ પ્રક્રિયા ન કરી ફેરાના ભાવે ઘન કચરો ભરવાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેથી નગરપાલિકામાં વિરોધપક્ષના નેતા અજીતસિંહ જાડેજા દ્રારા ટેન્ડરમાં ગેરરીતિ આચરી નગરપાલિકાને આર્થિક નુકશાન પહોંચાડવાની તકેદારી આયોગમાં ફરીયાદ કરી હતી. જે ફરીયાદની સાત વર્ષ સુધી તપાસ બાદ તકેદારી આયોગના તપાસમાં ફરીયાદ ખરી પુરવાર થતા ટેન્ડર પ્રક્રિયા સાથે જોડાયેલ સેનિટેશન ઇન્સપેકટર તેમજ એકાઉન્ટન્ટ સામે પગલાં ભરવા માટે ચીફ ઓફિસર અશ્વિન ગઢવીની સૂચના આપેલ હતી.
જે સૂચના અંગે ચીફ ઓફિસર અશ્વિન ગઢવીને પૂછતાં તેઓએ જણાવેલ કે આ અંગે હેડ કલાર્ક દિપક પટોડીયા પાસેથી માહિતી લઈ લો જેથી હેડ કલાર્કને પૂછતાં તેઓએ જણાવેલ કે, તકેદારી આયોગની સૂચના અનુવયે આ બંને કર્મચારી સેનિટેશન ઇન્સપેકટર હર્ષદ ટાટમીયા અને તત્કાલીન એકાઉન્ટન્ટ હાલ ઇન્ટરનલ ઓડિટર બી.કે. મોરબીયા વિદ્ધ પગાર ગ્રેડ ઘટાડવાનો, નોકરીમાંથી કાયમી ખસદ એટલે કે ડિસમિસ કરવાના અને નોકરીમાંથી ખસદ સાથે અન્ય કયાંય નોકરીને પાત્ર ન થાય તેવા પગલાં ભરવાનું હતું. જેમાંથી ચીફ ઓફિસર દ્રારા આ બંને કર્મચારીઓને એક વર્ષ સુધી હાલ જે પદ પર છે તેનાથી એક ગ્રેડ નીચેનો પગાર આપવાના પગલાં ભર્યા હતાં. યારે તત્કાલીન ચીફ ઓફિસર ભરત વ્યાસ પર કોઈ પગલાં ભરવાના થાય છે કે નહીં તેવું પૂછતાં તેઓએ જણાવેલ જે, હા મુખ્ય અધિકારી તરીકે તેઓ ઉપર પણ પગલાં ભરવાની સૂચના હશે પરંતુ હવે તે અહીં નોકરી નથી કરતા અને તેઓ પર શહેરી વિકાસ વિભાગ પગલાં ભરી શકે.
આમ, ચીફ ઓફિસર દ્રારા પોતાના તાબાના બે કર્મચારીઓને ડિસમિસ થતા બચાવી લીધા હતાં. જોકે થોડા સમય પૂર્વે નગરપાલિકામાં સત્તાધીશ ભાજપના નારાજ સભ્યોએ ચીફ ઓફિસર કોન્ટ્રાકટરો પાસે દસ ટકાની ટકાવારી લ્યે છે અને સેનિટેશન ઇન્સ્પેકટર વીસ જેટલા સફાઈ કર્મચારીઓની ખોટી હાજરી પૂરતા હોવાની રજુઆત કરી હતી. જેથી ચીફ ઓફિસર પોતાના તાબાના કર્મચારીઓ પર આકરા પગલાં નહિ ભરે તેવી વાત પેલાંથી જ નારાજ સભ્યો આક્ષેપ કરી રહ્યા હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech