કર્મચારીઓ આપણા હાથ પગ છે, એમની અને એમના પરિવારની સુખાકારીનું ધ્યાન રાખવાની પણ ઉચ્ચ અધિકારીઓની ફરજ છે તેવું દ્રઢ રીતે માનતા રાજ્યના મુખ્ય જેલ વડા ડો.કે. એલ એન રાવ માને છે.આ વિચારોને યોગાનુયોગ તેમના ધર્મ પત્ની અને જાણીતા શિક્ષણવિદ અને ડીન ડો.ઇન્દુ રાવને ટેકો આપે છે. ૨૦૪ જેટલા જેલ સ્ટાફ અને પરિવાર માટેના આવાસો મળતા ડો.રાવ દંપતિ અને પરિવાર પર સ્ટાફ દ્વારા આશીર્વાદ વરસી રહ્યા છે.
સુરત લાજપોર જેલ ખાતે ખુદ વડા પ્રધાન દ્વારા જેલ તંત્રની આવી ભાવનાની કદર કરી વર્ચ્યુઅલ લોકાર્પણ કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો.
પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે નવનિર્મિત જેલ ૧૭૬, ૨૪, ૦૪ ના કુલ ર૦૪ ઓવાસોનું ઇલોકાર્પણ કરવામાં આવેલ છે. ડો. શ્રી કે.એલ. એન. રાવ અધિક પોલીસ મહાનિદેશક, જેલ અને સુધારાત્મક વહીવટનાઓના માર્ગદર્શન હેઠળ તેમજ લાજપોર મધ્યસ્થ જેલના અધિક્ષક જે.એન. દેસાઇની સુચના અન્વયે અત્રેની લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે નવનિર્મિત આવાસોના ઇલોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ઇન્ચાર્જ અધિક્ષક પી.જી. નરવાડે તેમજ ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ લિ.ના કાર્યપાલક ઇજનેર બી.બી. પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર બી.આર. ગોંડલીયા તેમજ લાજપોર મધ્યસ્થ જેલના અધિકારી/ કર્મચારીઓ તેમજ તેઓના પરિવારજનો મોટી સંખ્યામાં હાજર રહી, કાર્યક્રમને વર્ચ્યુઅલ નિહાળેલ અને ઇન્ચાર્જ અધિક્ષક પી.જી. નરવાડેનાઓએ પ્રસંગને અનુરૂપ સંબોધન કરી, જેલના અધિકારીઓ,કર્મચારીઓ તેમજ તેઓના પરિવારજનોને નવનિર્મિત આવાસો માટે શુભેચ્છા પાઠવેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationGPSC ભરતી: વર્ગ-1 અને 2ની 244 જગ્યાઓ માટે આવતીકાલથી અરજી શરૂ
March 06, 2025 07:27 PMRanya Rao Arrest: દુબઈ કેટલી વાર ગઈ? ધરપકડ કરાયેલી રાન્યા રાવ સુરક્ષાને આ રીતે ચકમો આપતી
March 06, 2025 07:16 PMGujarat: વિધાનસભામાં ચોંકાવનારા આંકડા: કચ્છમાં નોંધાયેલા બેરોજગારો કરતાં વધુને મળી નોકરી!
March 06, 2025 07:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech