રાજકોટ લોકસભાનાં ભાજપનાં ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોતમ રુપાલાએ રાજા રજવાડા અંગે કરેલી ટીપ્પણીને લઈને ગુજરાત ભર માં ક્ષત્રીય સમાજમાં રોષ ફેલાયો હતો.ક્ષત્રિય સમાજનો રોષ તિવ્ર બનતા ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલની કાર્યવાહી હાથ ધરી ગોંડલનાં પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાને જવાબદારી સોંપાતા જયરાજસિહનાં ફાર્મહાઉસ ખાતે ક્ષત્રીય સમાજની બેઠકનું આયોજન કરાયુ હતુ જેમા ઉપસ્થિત રહી પરષોતમ રુપાલા એ ક્ષત્રીય સમાજનાં સમુહ સામે માફી માંગી પોતે બોલેલા શબ્દો અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો. બેઠકનાં આયોજક જયરાજસિહ સહિત અન્ય ક્ષત્રીય આગેવાનોએ આ વિવાદ અહી પુરો થાય છે તેવી ઘોષણા કરી હતી.અલબત કરણીસેના સહિત ક્ષત્રીય સંગઠનોનાં આગેવાનો બેઠક માં હાજર રહ્યાના હોય વિવાદ અંગેનું સમાધાન માન્ય રહેશે કે કેમ તેવા સવાલો પણ ઉઠ્યા છે. બીજી બાજુ આ બેઠક અને જયરાજસિહ વિષે સોશ્યલ મીડીયામાં કેટલાક ક્ષત્રીય સંગઠનો અને વ્યક્તિઓએ વિરોધ વ્યક્ત કર્યો હોય જયરાજસિહ જાડેજાએ તેમના સ્વભાવ મુજબ સોશ્યલ મીડીયા માં નહી પણ સામે આવો તેવો પડકાર પણ ફેકયો હતો.
ગોંડલ નાં સેમળા પાસે આવેલા ફાર્મહાઉસ ખાતે મળેલી બેઠકમાં પરષોતમ રુપાલા એ ભાવવાહી બની કહ્યુ કે મારી જીભથી આવી વાત થઈ તેનો મને રંજ છે. મને પુરો અફસોસ છે.મારી વાતથી મારી પાર્ટીને પણ દુખ થયુ છે.હું બે હાથ જોડીને ક્ષત્રીય સમાજની માફી માંગુ છુ. મારાં સમર્થનમાં અનેક આગેવાનોએ નિવેદન આપવા પહેલ કરેલી પણ ભુલ મારી હતી. મે ના કહી મારી ભુલનો હું એકલો જવાબદાર છુ. તેવું કહ્યુ હતુ.તેમણે કહ્યુ કે મારા સમર્થનમાં અહી ઉપસ્થિત ક્ષત્રીય સમાજ અને જયરાજસિહનો હું અંત કરણ થી આભાર માનુ છું
જયરાજસિહ જાડેજાએ કહ્યુ કે પરષોતમભાઇ એ ભુલ થયાની થોડી ક્ષણોમા માફી માંગીછે.ક્ષમા આપવી એ ક્ષત્રીય ધર્મ છે.આજની બેઠકનો નિર્ણય મારા એકલાનો નથી.આ સમગ્ર ક્ષત્રીય સમાજનો છે. પરષોતમ રુપાલાની ભુલને હવે ભુલવાની છે. આ આયોજન જેમને સારુ નથી લાગ્યુ તેમને મારી ચેલેન્જ છે કે તમે કહો ત્યાં હું આવીશ.મર્દાનગીથી વાત કરો. આ વિવાદ હવે અહી પુર્ણ થાય છે તેવુ જયરાજસિહે જણાવ્યુ હતુ.
બેઠક માં ઉપસ્થિત સાંસદ કેસરીદેવસિહ ઝાલા,ધારાસભ્ય કિરીટસિંહ રાણા,ભાજપ નાં પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, રાલો સંઘ નાં નરેન્દ્રસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ ઝાલા સોળવદર સહિતનાં વકતાઓ એ પરષોતમ રુપાલાનાં મુદ્દાને સમાપ્ત કરી ક્ષમા ક્ષત્રીયનું આભુષણ છે તેવુ કહી હકારાત્મક વલણ દાખવવા અપીલ કરી હતી. ગોંડલ ખાતે યોજાયેલી બેઠકમાં સૌરાષ્ટ્ર ભરનાં ક્ષત્રીયો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech