લોકસભાની ચૂંટણી સમયે જ જવાહર ચાવડા ભાજપના એકપણ કાર્યક્રમમાં જોવા મળતા નથી. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા એ દિવસે વંથલી ખાતે સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયુ હતુ. આ સંમેલનમાં પણ જવાહર ચાવડાની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. જે બાદ જવાહર ચાવડા ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરશે તેવી અટકળો ચાલી રહી હતી. આ તમામ અટકળો મુદ્દે જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે સ્પષ્ટતા કરી છે.
જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ભાજપમાં જ રહેવાની સ્પષ્ટ્રતા કરી છે. તેમણે કહ્યુ હત્પં સંપૂર્ણ રીતે ભાજપ સાથે જોડાયેલો છુ અને રહીશ. રાજકીય ફેરફારની વાતો પાયાવિહોણી છે. છેલ્લા કેટલાય સમયથી જવાહર ચાવડા ભાજપથી નારાજ હોવાની અને કોંગ્રેસમાં જોડાવાની અટકળો ચાલતી હતી. જેને જવાહર ચાવડાએ સ્પષ્ટ્રપણે રદિયો આપ્યો છે.
૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં જવાહર ચાવડા માણાવદર બેઠકથી કોંગ્રેસના અરવિંદ લાડાણી સામે હારી ગયા હતા. જે બાદ ચાવડાને હરાવવામાં ભાજપનું જ જૂથ કાર્યરત હતુ તેવુ સૂત્રો દ્રારા જાણવા મળ્યુ હતુ. છેલ્લા કેટલાય સમયથી તેઓ સ્થાનિક સ્તરે નિષ્ક્રીય દેખાઈ રહ્યા છે. ના તો તેઓ પક્ષના
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech