જસદણ-આટકોટને જોડતા ફોરલેન રોડ પર જે તે જવાબદાર તંત્ર દ્વારા દિશાસૂચક બોર્ડ લગાવવામાં આવેલું છે. જે દિશાસૂચક બોર્ડમાં રાજકોટ અને ગોંડલનું અંતર સાચું લખવાના બદલે રાજકોટના કી.મી. ગોંડલમાં અને ગોંડલના કી.મી. રાજકોટમાં એમ જુદા-જુદા દર્શાવી દેવામાં આવતા જવાબદાર તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ બોર્ડમાં રાજકોટ ખરેખર ૫૭ કી.મી. લખવાના બદલે ૪૫ કી.મી. અને ગોંડલમાં ૪૫ કી.મી. લખવાના બદલે ૫૭ કી.મી. દર્શાવી દેવામાં આવ્યા છે. જસદણ-આટકોટ ફોરલેન રોડ તૈયાર થયો ત્યારે જ લગાવેલા બોર્ડમાં દિશા સાથેનું અંતર ક્ષતિ સાથે દર્શાવી દેવામાં આવ્યું હોવાથી વાહનચાલકો અસમંજસમાં મુકાઈ રહ્યા છે. આ ક્ષતિવાળું બોર્ડ જસદણ-આટકોટ ફોરલેન રોડ પર ઠપકારી દેવાતા વાહનચાલકો મીઠી મુંજવણમાં મુકાઈ રહ્યા છે. હકીકતમાં જસદણથી રાજકોટનું અંતર ૫૭ કિ.મી.નું જ થાય છે અને ગોંડલનું અંતર ૪૫ કી.મી.નું જ થાય છે. પરંતુ જે તે જવાબદારો દ્વારા આ દિશાસૂચક બોર્ડમાં ઘોર બેદરકારી દાખવવામાં આવી હોવાથી આ રોડ પરથી પસાર થતા વાહનચાલકો અસમંજસતા અનુભવવા સાથે બેદરકાર તંત્રના ટકા મૂકી રહ્યાં છે. જેથી આ ગંભીર ક્ષતિ તાત્કાલિક સુધારી લેવામાં આવે તે જરૂરી બને છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech