ગઇકાલે રિલાયન્સમાં ૨૫ હજાર લોકોનું મેગા જમણવાર થયું: મુકેશ અંબાણી પરિવાર સહિત હાજર રહ્યા: તમામ કર્મચારીઓના પરીવારજનોને બોલાવવામાં આવ્યા: બધાનો આભાર માન્યો: શાહરુખ-સલમાન, અરજીતસિંઘે આપ્યું પરર્ફોમન્સ
અંબાણી પરીવારનો મેગા પ્રિ-વેડીંગ સેરેમની શો ત્રણ દિવસ ચાલ્યો અને દેશ-વિદેશના જાજરમાન મહેમાનો આવ્યા બાદ ગઇકાલે રિલાયન્સ કંપનીના તમામ કર્મચારીઓના પરીવારજનો સાથે મેગા જમણવારનો કાર્યક્રમ રિલાયન્સ ગ્રીનમાં યોજાયો હતો અને તેમાં ૨૫ હજાર લોકોને જમાડવામાં આવ્યા હતાં, આ કાર્યક્રમમાં પણ બોલીવુડના સુપરસ્ટારોએ કર્મચારીઓનું મનોરંજન કર્યુ હતું.
ત્રણ દિવસ સુધી રિલાયન્સના મહેમાન રહેલા બોલીવુડના બાદશાહ શાહરુખ ખાન અને ભાઇજાન સલમાન ખાન માટે જામનગર જાણે જુહુ બીચ બની ગયું હોય એવી સ્થિતિ સર્જાઇ છે અને અવારનવાર આ સુપરસ્ટારો જામનગરના વિમાની મથકે જોવા મળી રહ્યા છે, ગઇકાલે પણ રિલાયન્સના કર્મચારીઓ માટે યોજવામાં આવેલા જમણવાર માટે આ બંને સ્ટાર ઉપરાંત અરજીતસિંઘ દ્વારા ધમાકેદાર પરર્ફોમન્સ આપવામાં આવ્યું હતું અને રિલાયન્સના કર્મચારીઓના પરીવારજનોેને મજા પડી ગઇ હતી.
મુકેશ અંબાણી, નિતા અંબાણી તેમજ અનંત અને રાધીકા ગઇ રાતના જમણવારમાં ઉપસ્થિત રહ્યા હતાં, વિશાળ ડાયેસ પરથી મુકેશ અંબાણીએ પોતાના કર્મચારીઓનો આભાર માન્યો હતો અને ત્રણ દિવસ સુધી ચાલેલી પ્રિ-વેડીંગ સેરેમની માટે પોતાનું ઘર એટલે કે રિલાયન્સ ગ્રીન ખુલ્લુ મુકી દેવા બદલ તમામ કર્મચારીઓનો આભાર માન્યો હતો.
***
જ્હાનવી કપુરે જામનગર એરપોર્ટ પર બર્થ ડે કેક કાપી
બોલીવુડની જાણીતી અભિનેત્રી જ્હાનવી કપુરનો ગઇકાલે ૬ઠ્ઠી માર્ચે જન્મદિવસ હતો, ગઇકાલે રિલાયન્સ ખાતે કર્મચારીઓનો ભોજન સમારંભ યોજાયો હતો, જેમાં અતિથિ વિશેષ તરીકે શાહરુખ ખાન, સલમાનખાન સાથોસાથ જ્હાનવી કપુર પણ આવી હતી, ત્યારે જામનગર એરપોર્ટ ખાતે પોતાના જન્મદિવસની કેક કાપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં રાત્રે ભૂકંપનો જોરદાર આંચકો, 5.0ની તીવ્રતાથી ધરા ધ્રુજી
April 23, 2025 12:24 AMપહલગામ હુમલા બાદ આજે રાત્રે જ સાઉદી અરબથી દિલ્હી પરત ફરી રહ્યા છે PM મોદી
April 23, 2025 12:15 AMગુજરાત હાઇકોર્ટનો મોટો નિર્ણય: રાજ્યના 70 ન્યાયાધીશોને પ્રમોશન અને બદલી, 28 એપ્રિલથી અમલ
April 23, 2025 12:05 AMપહલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતી પ્રવાસીનું મોત, પરિવાર સુરક્ષિત
April 22, 2025 10:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech