સારવારમાં ખસેડાયો: મકાન બાબતના મનદુ:ખમાં કથીત ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો
જામનગર મહાનગરપાલીકાના શિક્ષણ સમિતના ચેરમેનની કારના ડ્રાઇવર અને ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક યુવાને ઝેરી પ્રવાહી પી લેતા તાબડતોબ સારવાર માટે અત્રેની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો, મકાન બાબતના ચાલતા મનદુ:ખમાં આજુબાજુવાળાના કથીત ત્રાસથી દવા પીધાનું પ્રાથમીક અનુમાન લગાવીને પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા ભરતસિંહ વજુભા ચુડાસમા (ઉ.વ.35) નામના ક્ષત્રીય યુવાને ગઇકાલે મોડી સાંજે ઝેરી પ્રવાહી પીને આપઘાતનો પ્રયાસ કરતા તેને તાકીદે જી.જી. હોસ્પીટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, બનાવની જાણ થતાં પોલીસ ટુકડી હોસ્પીટલ ખાતે દોડી ગઇ હતી, ભરતસિંહ જામનગર મહાનગરપાલીકા શિક્ષણ સમિતિના ચેરમેનની ગાડીનો ડ્રાઇવર હોવાનું અને નવા મકાન બાબતના ચાલતા મનદુ:ખમાં કથીત ત્રાસના કારણે ઝેરી પ્રવાહી પી લીધાનું અનુમાન લગાવવામાં આવ્યું છે, પોલીસ દ્વારા ક્ષત્રીય યુવાનનું નિવેદન નોંધવા સહિતની તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech