જામનગર: બેડીના વકીલ હત્યા કેસમાં વધુ બે આરોપી પકડાયા

  • April 05, 2024 12:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના બેડીમાં વકીલની ઘાતકી હત્યા કરવાના પ્રકરણમાં સીટની રચના થયા બાદ એક પછી એક આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે, ગઇકાલે વધુ બે આરોપીની અટકાયત કરી કોર્ટમાં રજુ કરતા પાંચ દિવસના રીમાન્ડ મંજુર થયા છે, આ પ્રકરણમાં ધરપકડનો આંક ૧૦ થયો છે.

ગત તા. ૧૩ના સાંજના સુમારે વકિલ હારૂ ન પલેજાની ઘાતકી હત્યા નિપજાવામાં આવી હતી જેમાં સાયચા ગેંગ સહિતના શખ્સોની સામે પોલીસ ફરીયાદ સીટી-બીમાં દાખલ થઇ હતી, બનાવના પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી, એસ.પી. પ્રેમસુખ ડેલુ દ્વારા સીટની રચના કરવામાં આવી હતી અને તબકકાવાર આરોપીઓને પકડી લેવામાં આવ્યા હતા, જેમાં બે સગીર સહિત ૮ આરોપીઓની અટક કરી હતી, જે પૈકી ૬ શખ્સોને રીમાન્ડ બાદ જેલ હવાલે કરાયા હતા.

દરમ્યાન પોલીસે આ પ્રકરણમાં તપાસ લંબાવીને વધુ બે આરોપીઓને ગઇકાલે દબોચી લીધા હતા જેમાં એજાઝ ઉમર સાઇચા અને ગુલામ જુસબ સાઇચાની અટકાયત કરી વધુ પુછપરછ માટે કોર્ટમાં રજુ કરતા બંનેના પાંચ દિવસના રીમાન્ડ મંજુર થયા છે, આ પ્રકરણમાં અત્યાર સુધી ૧૦ શખ્સો પોલીસના શકંજામાં આવ્યા છે અને હજુ પાંચ આરોપીઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application