રજાના દિવસે પણ ટેકસ સ્વીકારવામાં આવશે: તાકીદે મિલ્કત વેરો ભરી જવા અપીલ
જામનગર કોર્પોરેશન દ્વારા મિલ્કત અને વોટર ચાર્જ માટે અને વ્યવસાય વેરામાં તા.૩૧ માર્ચ સુધી ૧૦૦ ટકા વ્યાજ માફી યોજના ચાલું હોય હવે આ યોજનાને પુરી થવાને માત્ર ૫ દિવસ જેટલો સમય બાકી છે ત્યારે લોકોને આ યોજનાનો લાભ લેવા જણાવાયું છે.
જાણવા મળતી માહિતી મુજબ ૨૦૨૩-૨૪ના બીલો પણ બજાવવાની કામગીરી ચાલું છે, જે કોઇને બીલ ન મળ્યા હોય તેઓએ જામનગર મહાપાલિકાની વેબસાઇટ અથવા મિલ્કત શાખાના અધિકારીઓનો બ સંપર્ક કરવો, ઉપરાંત વેપારીઓને વ્યવસાય વેરો ભરવાનો હોય તો તે વેરો પણ ભરી દેવો તેમ જણાવાયું છે, રજાના દિવસોમાં પણ વેરો ભરી શકાશે, ઉપરાંત મહાપાલિકાની મુખ્ય કચેરી, સિવીક સેન્ટર, રણજીતનગર સીવીક સેન્ટર, શ સેકશન રોડ, ગુલાબનગર, એચ.ડી.એફ.સી, નવાનગર બેંકમાં પણ આ વેરો ભરી શકાશે, આ વખતે કોર્પોરેશનની ટેકસ શાખાને ા.૧૦૦ કરોડનો ટેકસ ઉઘરાવવાનો ટાર્ગેટ આપ્યો છે, કેટલીક ગર્વમેન્ટ કચેરીઓને પણ વેરા ઉઘરાવવા માટે નોટીસ પાઠવી દેવામાં આવી છે અને કેટલીક સરકારી કચેરીઓએ એક-બે દિવસમાં જ વેરો ભરી દેવામાં આવશે તેવી હૈયાધારણા પણ આપી છે ત્યારે જો વધુ ટેકસ આવશે તો કોર્પોરેશનના વિકાસના કામોને વેગ મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech