નોલેજ સેશનમાં ચેક રિટર્નના કેસ અંગે ધારાશાસ્ત્રી દ્વારા માર્ગદર્શન
જીતો પ્રેરીત JBN જામનગર રેફરલ ગ્રુપની મિટિંગ તારીખ:27/05/2024 ના રોજ સયાજી હોટલ જામનગર ખાતે સાંજના 7:30 કલાકે મળેલ હતી. આ મિટિંગમાં JBN જામનગરના મેન્ટર જીનલબેન સંઘવી સુરતથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી માહિતી આપી હતી, તેમજ આ મિટિંગમાં નોલેજ સેશનમાં જામનગરના જાણીતા એડવોકેટ એન્ડ નોટરી હેમલભાઈ ચોટાઈ એ ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ મિટિંગમાં JBN જામનગરની ટીમના વિમલ સુમરિયા, અમિષ શાહ, હિરેન ગુઢકા (એડવોકેટ), રોહિત શાહ, શરદ શેઠ, CA પ્રકાશ ઝવેરી, શિરીષ સાવલા, પરાગ વોરા સહિતના મેમ્બર્સ તથા અનેક આમંત્રિત જૈન બિઝનેસમેન / આગેવાન ડો. ભરતેષ શાહ, ઓતમચંદ શાહ, કર્ણાટક રાજ્યથી દીપક જૈન સહિતના જૈન શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં પરાગ વોરા તરફથી પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવેલ. મિટિંગ પૂર્ણ થયા બાદ બધાએ સાંજનું ભોજન સયાજી હોટલમાં સાથે લીધેલ હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે અમિષ શાહ, અક્ષય જખરીયા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech