દાખલાની એક કોપીના રૂા. 50 અને ત્યારબાદ લેઇટ ફી લેવાશે
જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ હસ્તકના જન્મ-મરણ વિભાગમાં ગુજરાત સરકારની મંજુરીથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-ગાંધીનગર દ્વારા જન્મ-મરણ નોંધણી સુધારા નિયમો ગુજરાત ગવર્મેન્ટ ગેઝેટ ૨૭/૦૨/૨૦૨૫ થી જાહેરનામાં પ્રસિધ્ધ કરેલ છે.
ઉપરોક્ત બાબતે હેલ્થ એન્ડ કેમેલી વેલફેર ડીપાર્ટમેન્ટના નોટીફીકેશનમાં સુધારણા મુજબ જન્મ-મરણ વિભાગ જામનગર મહાનગરપાલિકા દ્વારા વસૂલવામાં આવતી ફી માં સુધારો કરવામા આવ્યો છે.
જેમાં નોંધ શોધાઈ ૨૦ રૂપિયા, જન્મ-મરણના પ્રમાણપત્રની એક નકલના ૫૦ રૂપિયા, ૨૧ દિવસથી ઉપર પરંતુ ૩૦ દિવસની અંદર નોંધણી માટે લેઇટ ફી ૨૦ રૂપિયા, ૩૦ દિવસ ઉપર પરંતુ ૧ વર્ષની અંદર નોંધણી માટે લેઇટ ફી રૂ. ૫૦ અને ૧ વર્ષથી ઉપરના નોંધણીના બનાવો માટે જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ પ્રથમવર્ગ અથવા સીટી મેજીસ્ટ્રેટના હુકમથી થતી નોંધણી માં લેઇટ ફી રૂ. ૧૦૦ વસૂલવામાં આવશે.
જન્મ-મરણના જુદાં-જુદાં દરોનો વધારો તા.૦૧/૦૫/૨૦૨૫ થી લાગુ કરવામાં આવશે હોય જેની તમામ જાહેર જનતા એ નોંધ લેવી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ મનપામાં ક્લાર્કની ૧૨૨ જગ્યાઓ માટે ૬૦૫૨૧ ઉમેદવારો; તા.૪ મે ના પરીક્ષા
April 26, 2025 02:01 PMજામનગરમાં પોલીસ વિભાગ દ્વારા યોજાયેલ રકતદાન કેમ્પ અંગે પોલીસ વડાએ આપી વિગતો
April 26, 2025 12:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech