આજી વસાહત વિસ્તારમાં આવેલી અમુલ ઇન્ડસ્ટ્રીઝ કે જે કામદારને પગાર ન ચૂકવતા સીલ કરવામાં આવી હતી. બધં પડેલી આ ફેકટરીમાંથી ટીવી, લેપટોપ સહિત . ૨૧,૦૦૦ ની મત્તાની ચોરી થયા અંગેની મામલતદાર દ્રારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
રાજકોટમાં રેસકોર્સ રીંગરોડ પર સરકારી કવાર્ટરમાં રહેતા મૂળ નડિયાદના વતની શૈલેષકુમાર જેઠાભાઈ ચાવડા (ઉ.વ ૫૭) દ્રારા આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ રાજકોટ શહેર પૂર્વમાં મામલતદાર તરીકે ફરજ બજાવે છે. આજી વસાહત પ્લોટ નંબર ૩૩૨, ૩૩૩ માં આવેલ અમુલ ઇન્ડસ્ટ્રીઝ પ્રા.લી કે જેમાં કામ કરતાં કામદારોના વેતનના બાકી નાણા વસૂલવા મજુર અદાલતના નિર્દેશના પગલે ગત તારીખ ૧૨૧૨૦૨૪ ના રોજ આ ઇન્ડસ્ટ્રીઝ સીલ કરવામાં આવી હતી.ફેકટરી સીલ કરાઇ ત્યારે અહીં રહેલ સામાનની વિડીયોગ્રાફી કરી સીલ કરવામાં આવી હતી.
દરમિયાન ગત તારીખ ૩૧૮૨૦૨૪ અમદાવાદમાં સુંદરમ ફાસ્ટનેર્સ લી. નામની કંપનીએ આ અમુલ ઇન્ડસ્ટ્રીઝ ખરીદવા રસ દાખવતા રાજકોટમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદમાં અને કોઈ નુકસાન તો થયું નથી ને? તે જોવા માટે તારીખ ૧૯ ૨૦૨૪ ના અહીં સીલ ખોલી તપાસ કરવામાં આવતા ઉપર ઓફિસ નંબર એકનો મુખ્ય દરવાજો જે કાચનું હોય તે દરવાજો તૂટેલી હાલતમાં હતો જે જોતા અહીં ચોરી થઈ હોવાનું માલુમ પડું હતું.
બાદમાં તપાસ કરતા અહીંથી સોની કંપનીનું ટીવી, જુના જેવું લેપટોપ, સીપીયુ નગં છ ગેસ મશીનસહિત કુલ પિયા ૨૧,૦૦૦ ની મત્તાની ચોરી થયાનું માલુમ પડું હતું. જેથી આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાન મંદિરો અને ગુરુદ્વારાના નવીનીકરણ માટે 1 અબજ ખર્ચશે
February 24, 2025 02:56 PMદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMજામનગરની જીજી હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ સાથે કરી બબાલ, દંપતી સામે ગુનો નોંધાયો
February 24, 2025 01:26 PMજામનગરમાં કચરા ગાડીમાં કેરણ ભરવાનું કારસ્તાન
February 24, 2025 01:22 PMજામનગરમાં સાઈકૃપા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું
February 24, 2025 01:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech