જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં સફાઈ યોગ્ય ન થતી હોવાના અભિપ્રાય છતાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ડીજી નાકરાણીને દર મહિને 10થી 12 લાખની રકમ ચૂકવી દેવાતા અનેક પ્રશ્નાર્થ સર્જાયા છે. મનપા અને કલેક્ટર તંત્ર દ્વારા યોગ્ય સફાઈ થતી ન હોવાની જાણ કરી છતાં પણ એજન્સી પ્રત્યે લાગણી દશર્વિતા પ્રશ્નાર્થ સર્જાયા છે.
યાત્રાધામ ભવનાથમાં દર વર્ષે લાખો યાત્રિકો અને પ્રવાસીઓ આવે છે. ભવનાથની સફાઈ માટેની જવાબદારી યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ભવનાથ સફાઈનું ટેન્ડર ડીજી નાકરાણી એજન્સીને આપવામાં આવ્યું છે અને દર મહિને અંદાજિત 10થી 12 લાખની રકમનું ચૂકવણું કરવામાં આવે છે. એજન્સી ને સફાઈ ના રૂપિયા ચૂકવતા પહેલા કલેકટર નો સફાઈ અંગેનો અભિપ્રાય લેવામાં આવે છે અને કલેક્ટર દ્વારા પ્રાંત અધિકારીને તેની જવાબદારી સોંપવામાં આવી છે.
પ્રાંત અધિકારી દ્વારા સફાઈ મામલે જુનાગઢ મહાનગરપાલિકા નો અભિપ્રાય લેવામાં આવે છે અને મહાનગરપાલિકા દ્વારા ભવનાથમાં ઘણા સમયથી સફાઈની કામગીરી યોગ્ય રીતે થતી ન હોવાનો અભિપ્રાય આપવામાં આવ્યો છે જેથી પ્રાંત અધિકારી દ્વારા તેની ખરાઈ કરી પ્રવાસન વિભાગમાં સફાઈની કામગીરી બરાબર થતી નથી તેવો અભિપ્રાય મોકલવામાં આવી રહ્યો છે. અને સફાઈ એજન્સી ડીજી નાકરાણીને રકમ ચૂકવવા પાત્ર નથી તેઓ પણ અભિપ્રાય હોવા છતાં યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એજન્સીને રૂપિયા ચૂકવી દેવામાં આવે છે. સફાઈ અભિયાનની ગુલબાંગો વચ્ચે પવિત્ર યાત્રાધામમાં ઉકરડા અને ગંદકીના ગંજ જોવા મળે છે ત્યારે ખાનગી એજન્સી દ્વારા કામગીરી ન થતી હોવાથી મહાનગરપાલિકાની છાપ પણ ખરડાઈ છે. જેથી પ્રાંત દ્વારા સફાઈ ન થતી હોવાના અભિપ્રાય છતાં યાત્રાધામ વિકાસ બોર્ડ ડીજી નાકરાણી સામે કાર્યવાહી કરવાને બદલે તેને રકમ ચૂકવણી કરવામાં આવતા અને ચચર્ઓિ થઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMનિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
April 25, 2025 07:17 PMજામનગરના કાલાવડમાં કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:12 PMજામનગર : વેપારીઓ દ્વારા આજે સાંજે વેપાર ધંધા સજ્જડ બંધ
April 25, 2025 07:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech