ચોમાસામાં અને ખરાબ હવામાન સમયે દરિયામાં ન્હાવું જોખમભર્યું

  • May 29, 2025 02:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલ ભર ઉનાળે માવઠાના વરસાદ પડી રહ્યા છે,અરબી સમુદ્રમાં બનેલી સીસ્ટમને કારણે સમુદ્રમાં અસ્થિરતા જોવા મળી રહી છે,મોજા ઉચા ઉછળી રહ્યા છે,દરિયો રફ બની ગયો હોય છે ત્યારે પોરબંદરવાસીઓને હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ખાસ અપીલ કરવામાં આવે છે કે આ રફ દરિયામાં ન્હાવા માટે ન જવું જોઈએ,આપનો અમુલ્ય જીવ જોખમમાં મુકાઈ શકે છે.તાજેતરમાં જ એક યુવાન દરિયામાં નહાવા જતા તેનું મોત નીપજ્યું છે,ત્યારે ખાસ સલામતી સાથે સતર્કતા રાખવી જ‚રી છે.
ચોમાસું એટલે વરસાદ,ભેજ અને અસ્થિર હવામાનનો સમયગાળો,આ સમયે દરિયાકિનારે રહેતા લોકો માટે ખાસ કરીને સાવચેત રહેવાની જ‚રીયાત રહે છે. ચોમાસામાં દરિયામાં નાહવા જવું અત્યંત જોખમભર્યું હોઈ શકે છે, કારણ કે આ સમયે દરિયાની લહેરો અસ્થિર, જોરદાર અને અણધારી હોય છે.સરકારી તંત્ર, આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાઓ અને નાગરિકોની સાવચેતી આ સમયે મોટા પ્રમાણમાં જીવનહાનિ અને દુર્ઘટનાઓ રોકી શકે છે. 
પોરબંદરની હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે,ચોમાસામાં દરિયાની લહેરો અનિયમિત અને ખુબ જ જોરદાર હોય છે. ઊંચી લહેરો અને અણધાર્યા ભરતી-ઓટ આવે છે, જે નાહવા જતા લોકોને દરિયાની અંદર ખેંચી લઈ શકે છે.આવી પરિસ્થિતિમાં તરવાનું કઠિન બની જાય છે અને જીવ જોખમમાં પડી શકે છે.ચોમાસામાં દરિયાની ગતિ અનિયંત્રિત હોવાથી ડુબવાની ઘટનાઓ વધુ થાય છે. ખાસ કરીને બાળકો અને તરવામાં નિષ્ણાંત ન હોય તેવા લોકો માટે આ સમયે દરિયામાં નાહવું ખતરનાક સાબિત થઈ શકે છે.ચોમાસામાં અચાનક આવતા તુફાન અને વાવાઝોડાની સંભાવના વધી જાય છે.આવી પરિસ્થિતિમાં દરિયાકિનારે હોવું જોખમભર્યું હોય છે, કારણ કે ઊંચી લહેરો અને તીવ્ર હવા લોકોને દરિયામાં ખેંચી શકે છે.  
વધુમાં રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે,સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા ચોમાસા દરમિયાન દરિયાકિનારે ચેતવણી બોર્ડ, લાલ ફ્લેગ અને જાહેરાતો દ્વારા લોકોને નાહવા ન જવા અપીલ કરવામાં આવે છે.આ ઉપરાંત, ખાસ કરીને ખતરનાક વિસ્તારોમાં નાહવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે.ચોમાસા દરમિયાન લાઇફગાર્ડ્સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોને વધુ સક્રિય રાખવામાં આવે છે.તેઓ દરિયાકિનારે લોકોને સલાહ આપે છે અને કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ કરે છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન યોજનાઓ બનાવવામાં આવી છે, જેમાં ચોમાસા દરમિયાન દરિયાકિનારે સુરક્ષા માટે ખાસ પગલાં સામેલ હોય છે.  
રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે,નાગરિકોએ ચોમાસા દરમિયાન સરકાર દ્વારા જારી કરવામાં આવેલી સુચનાઓ અને ચેતવણીઓનું કડકપણે પાલન કરવું જોઈએ.જો દરિયાકિનારે નાહવા માટે પ્રતિબંધ હોય, તો તેનો ભંગ ન કરવો. માતા-પિતા અને વડીલોએ બાળકોને દરિયાકિનારે એકલા ન જવા દેવા જોઈએ.દરિયાકિનારે જતા પહેલાં હવામાનની અપડેટ્સ અને તુફાનની ચેતવણીઓ ચેક કરવી જોઈએ. જો હવામાન ખરાબ હોય, તો નાહવા ન જવુ,જો કોઈ દરિયાકિનારે નાહવા જાય, તો લાઇફગાર્ડ્સની હાજરી, સલામત વિસ્તાર અને લહેરોની તીવ્રતા ચેક કરવી જોઈએ. 
ચોમાસા દરમિયાન દરિયામાં નાહવું જોખમભર્યું છે, અને આ સમયે  તંત્ર તથા નાગરિકો બંનેની સાવચેતી જરૂરી છે. સરકાર દ્વારા લેવાતા પગલાંઓ સાથે નાગરિકોએ પણ પોતાની સલામતી માટે જવાબદાર રીતે વર્તવું જોઈએ.જો સૌ મળીને સાવચેતી અપનાવે,તો ચોમાસા દરમિયાન દરિયામાં થતી દુર્ઘટનાઓ અને જીવનહાની ઘટાડી શકાય છે.સાવચેતી એ જ સુરક્ષા છે  ચોમાસામાં દરિયાની મજા લેવા કરતાં સલામતીને પ્રાથમિકતા આપો તેમ રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતુ. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application