ગુજરાતમાં શિક્ષકોને લઈ સરકારે નવો નિયમ બનાવ્યો, હવે સાત કોઠા વિંધવા સમાન બની રહેશે આ કામગીરી

  • March 24, 2025 01:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકાર દ્રારા શિક્ષકો માટે કર્મયોગી પોર્ટલ પર સીએલ વિદેશ પ્રવાસ જેવી એનઓસી લેવાની કામગીરી ફરજિયાત કરવામાં આવી છે પરંતુ આવી કામગીરી ફરજિયાત કરતા પહેલા સરકાર પોર્ટલ પર ટેકનીકલ કેટલાક સુધારા કરવાનું ચૂકી ગઈ છે જેનો ભોગ શિક્ષકો બની રહ્યા છે. પરિણામે શિક્ષકોમાં નારાજગી વ્યાપી છે.



શિક્ષકોની તમામ કામગીરી શૈક્ષણિક વર્ષના આધારે કરવામાં આવે છે. ઉપરાંત બીજા અને ચોથા શનિવારે શાળાઓમાં રજા નહી હોવા છતાં તેનો કોઇ જ સુધારો કર્મયોગી પોર્ટલમાં કરાયો નથી. ત્યારે બીજી તરફ કર્મયોગી પોર્ટલમાં કામગીરી નહીં થવાથી તેની અસર કચેરીની વહીવટી કામગીરી પર થઇ રહી છે.


શિક્ષકોને રજાઓ મંજુર કરાવવી હોય, પાસપોર્ટની એનઓસી લેવી હોય કે વિદેશ પ્રવાસની એન.ઓ.સી. લેવી હોય સહિતની કામગીરીને કર્મયોગી પોર્ટલ મારફતે ફરજિયાત કરવાનો આદેશ કર્યો છે. પરંતું કર્મયોગી પોર્ટલમાં અમુક ટેકનીક ખામીઓને લીધે શિક્ષકો માટે પોર્ટલના માધ્યમથી કામગીરી કરવી સાત કોઠા વિંધવા સમાન બની રહે છે.


ત્યારે બીજી તરફ કર્મયોગી પોર્ટલના માધ્યમથી કામગીરી નહી કરવા બદલ શિક્ષકોની રજા મંજુર થતી નથી. તેવી રીતે પાસપોર્ટ કે વિદેશ પ્રવાસની એનઓસી લેવાની કામગીરી સમયસર થતી નથી. આથી કર્મયોગી પોર્ટલમાં રહેલી ટેકનીકલ ખામીઓને દુર કરવામાં આવે ત્યારબાદ શિક્ષકોને દરેક કામગીરી માટે કર્મયોગી પોર્ટલ ફરજિયાત કરવામાં આવે તેવા સૂર શિક્ષકોમાં ઉઠી રહ્યા છે.


કર્મયોગી પોર્ટલ ઉપર કામગીરી નહી થવાથી શિક્ષકોની હાલત કફોડી બની છે. કર્મયોગી પોર્ટલમાં કેલેન્ડર વર્ષની સિસ્ટમ છે. ત્યારે શિક્ષકોની રજાઓ શૈક્ષણિક વર્ષ મુજબ ગણત્રી થતી હોવાના કારણે રજાનો હિસાબ પોર્ટલ ઉપર મળતો નથી. પોર્ટલ ઉપર બીજા અને ચોથા શનિવારે રજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. યારે શિક્ષકોને આવી કોઇ જ રજા મળતી નહી હોવાથી આ દિવસોમાં ૨જા મુકવાથી પોર્ટલ સ્વીકારતું નથી. પોર્ટલ ઉપર મે માસને વેકેશન દર્શાવવામાં નહી આવતું હોવાથી વિદેશ પ્રવાસની એનઓસી મળતી નથી.



કર્મયોગી પોર્ટલમાં સ્થાનિક રજાઓનો પણ દર્શાવવામાં આવતી નહી હોવાથી શિક્ષકોને પારવાર હાલાકી વેઠવાની ફરજ પડી હોવાનો સૂર પ્રાથમિક શિક્ષકોમાં ઉઠો છે. શિક્ષકોને રજાઓ, પાસપોર્ટ એનઓસી, વિદેશ પ્રવાસ એનઓસી સહિતની બાબતોને કર્મયોગી પોર્ટલ ઉપર ફરજિયાત કરવામાં આવતા શિક્ષકોમાં નારાજગી ઉઠવા પામી છે. યારે બીજી તરફ કર્મયોગી પોર્ટલમાં કામગીરી નહી થવાથી તેની અસર કચેરીની વહીવટી કામગીરી પર થઇ રહી છે. આ પોર્ટલને પહેલા સુધા૨વામાં આવે અથવા તો તેમાં રહેલી ખામીઓ દૂર કરી તેને ફરજિયાત બનાવાય તેવી માગ ઉઠી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application