પેલેસ્ટિનિયન શહેર ગાઝામાં ઇઝરાયલનું યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. વડાપ્રધાન નેતન્યાહૂના કાર્યાલયે એક X પોસ્ટમાં જણાવ્યું હતું કે, ગાઝામાં યુદ્ધવિરામ અમલમાં આવ્યો છે. નેતન્યાહૂના કાર્યાલયે જણાવ્યું હતું કે, યુદ્ધવિરામ ત્રણ કલાક મોડો અમલમાં આવ્યો. કારણ કે હમાસે બંધકોની યાદી સોંપવામાં વિલંબ કર્યો હતો. પીએમ નેતન્યાહૂએ એક X પોસ્ટમાં એમ પણ કહ્યું હતું કે, ઇઝરાયલને બંધકોની યાદી મળી ગઈ છે અને તેની સુરક્ષા તપાસવામાં આવી રહી છે. આ કરાર 42 દિવસનો છે.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધને રોકવાનો માર્ગ શોધવા માટે યુદ્ધવિરામ કરાર થયો છે. તેનો તબક્કાવાર અમલ કરવો પડશે. કરાર મુજબ, બંધકોને પહેલા 42 અઠવાડિયામાં મુક્ત કરવામાં આવશે. હાલમાં લગભગ ૩૩ ઇઝરાયલી નાગરિકો હમાસની કસ્ટડીમાં છે. આમાંથી, ત્રણ બંધકો, જેમના નામ હમાસ દ્વારા ઇઝરાયલને સોંપવામાં આવ્યા છે, તેમને આજે મુક્ત કરવામાં આવનાર છે.
યુદ્ધવિરામ ત્રણ કલાક મોડા અમલમાં આવ્યો
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો આજે સવારે 8.30 વાગ્યાથી અમલમાં આવવાનો હતો. ઇઝરાયલી મીડિયા અનુસાર, હમાસે બંધકોની યાદી જાહેર કરવામાં વિલંબ કર્યો અને ત્યારબાદ તેનો અમલ સવારે ૧૧.૧૫ વાગ્યાથી કરવામાં આવ્યો. પહેલા દિવસે ત્રણ મહિલા બંધકોને મુક્ત કરવામાં આવશે. અગાઉ, ઇઝરાયલી સેનાએ ગાઝામાં બોમ્બમારાનો અંતિમ તબક્કો હાથ ધર્યો હતો અને દાવો કર્યો હતો કે, હમાસના લક્ષ્યોનો નાશ કરવામાં આવ્યો છે.
૭ ઓક્ટોબરના રોજ તેમને બંધક બનાવવામાં આવ્યા હતા
હમાસની કેદમાંથી મુક્ત કરાયેલા બંધકોમાં રોમી ગોનેનનો સમાવેશ થાય છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર, એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં, તેમના ભાઈએ કહ્યું કે, આજે મુક્ત થનારા બંધકોની યાદીમાં તેમના ભાઈનો પણ સમાવેશ થાય છે. ૭ ઓક્ટોબરના રોજ નોવા ફેસ્ટિવલમાંથી હમાસના લડવૈયાઓ દ્વારા તેને પકડી લેવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે દિવસે તેના ત્રણ મિત્રોની હત્યા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેટલાક રાજ્યોમાં ફરી વધી રહ્યા છે કોરોનાના કેસ
April 23, 2025 11:19 AMધ્રોળના હમાપરની પરણીતાનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો
April 23, 2025 11:19 AMશેરબજારે ખુલતા જ 80,000ની સપાટી કૂદાવી: સેન્સેક્સમાં ૬૫૯ પોઇન્ટનો ઉછાળો
April 23, 2025 11:19 AMપોરબંદરમાં વ્યાજખોરોના કાળા કરતુતો બહાર લાવવા પોલીસ દ્વારા યોજાયો લોક દરબાર
April 23, 2025 11:18 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech