હત્યા કેસમાં તું કાલે કોર્ટમાં જુબાની દેવા જતો નહિ કહી જંગલેશ્વરના રીક્ષા ચાલક ઇસ્માઇલ ખિયાણીએ ફડાકા ઝીંકી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
કબ્જે કરેલું હથીયાર ઓળખવા ૨૬ના રોજ નવી મુદત આપવામાં આવી
જંગલેશ્વરમાં આરએમસી ક્વાર્ટરમાં રહેતા ખાલીફમીયા સુલતાનમીયા બુખારી (ઉ.વ.33)એ ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં ઇસ્માઇલ ઉર્ફે ભુદર હશનભાઈ ખિયાણીનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, સેસન્સ કોર્ટના હત્યાના કેસમાં હું પંચ તરીકે હોવાથી ગત તા.૦૯ ના રોજ મારી કોર્ટમાં મુદત હોવાથી જુબાની આપવા માટે ગયો હતો. જુબાની બાદ કબ્જે કરેલું હથીયાર ઓળખવા આગામી તા. ૨૬ના રોજ નવી મુદત આપવામાં આવી હતી.
તને ખોટા કેસમા ફસાવી દઇશ તેમ ધમકી આપતાં હું ત્યાથી નીકળી ગયો
ગત રાત્રીના મારા ઘરે હતો ત્યારે મારા ફોનમા ઇસ્માઇલ ઉર્ફે ભુદરનો ફોન આવ્યો હતો અને મને મહેશ્વરી મેઇન રોડ, ભવાની ચોક પાસે આવેલ જેસાણી હોલએ આવવાનું કહેતા હું ત્યાં ગયો હતો. ત્યાં હનીફ હુસેનભાઇ જેસાણી અને ઇસ્માઇલ ઉર્ફે ભૂદર હાજર હતા. ઈસ્માઇલએ મને કહેલ કે, આજે તમે ભલે કોર્ટ મુદતમા જઇ જુબાની આપેલ પરંતુ હવે આવતી મુદતમા જતા નહિ. આથી મેં કહ્યું હતું કે, મુદતમા તો જવુ પડશે અને હું જુબાની આપીશ તેમ કહેતા ઇસ્માઇલ ઉશ્કેરાઇ ગયો હતો અને જેમ ફાવે તેમ ગાળો આપી તને ચોવીસ કલાકમા મારી નાખીશ અને તને ખોટા કેસમા ફસાવી દઇશ તેમ ધમકી આપતાં હું ત્યાથી નીકળી ગયો હતો.
હું તો કાલે તારીખમા જવાનો જ છું અને મારી જુબાની આપવાનો છું
બાદમાં ગત તા.૨૫ના મારા ફોનમાં અલીભાઈ હાજીભાઈ ગોગદાનો ફોન આવ્યો હતો અને તેમાંથી ઇસ્માઇલએ વાત કરી હતી અને અઝહરભાઈની ઓફિસ આવો, તમારે જાજી પૈસાની જરૂર છે તમને ૧૫ લાખ રૂપિયા આપું તેમ વાત કરી ફોન રાખી દીધો હતો. હું અઝહરભાઇની ઓફિસ ખાતે ગયો હતો. ત્યા અલીભાઇ ગોગદા, ઇસ્માઇલભાઇ ઉર્ફે ભુદર ખીયાણી, સરફરાજ અને એક અજાણ્યો વ્યક્તિ હતો. ઇસ્માઇલએ મને વાત કરેલ કે, તમે હનીફભાઇ યુસુફભાઈ જુણેજાના મર્ડર કેસમાં પંચમા છો, તેમાં કાલે મુદતો જશો તો મજા નહિ. જેથી મે કહેલ કે, હું તો કાલે તારીખમા જવાનો જ છું અને મારી જુબાની આપવાનો છું.
મારી સાથે ઝપાઝપી કરી ગાળો આપી
બાદમાં ઇસ્માઇલ એકદામ ઉશ્કેરાઈ ગયેલ અને મારી સાથે ઝપાઝપી કરી ગાળો આપી મને ચાર ફડાકા ઝીંકી દીધા હતા. દરમિયાન અફઝલભાઈ રાઉમા ઓફીસે આવી ગયેલ અને મને છોડાવેલ હતો. બાદમાં ઓફિસની બહાર નીકળીને મે પોલીસને ફોન કર્યો હતો. બનાવ અંગે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદ એરપોર્ટ બંધ થવાથી મુસાફરો પરેશાન, રેલવેએ આ બે શહેરો માટે ખાસ ટ્રેનો શરૂ કરી
June 12, 2025 09:52 PMઅમદાવાદમાં વિમાન ક્રેશ કેમ થયું? અમેરિકાથી આવ્યો મોટો રિપોર્ટ
June 12, 2025 09:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech