ઈશ્વરીયા પાર્ક જન્માષ્ટ્રમી પર્વમાં રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લો રહેશે

  • August 22, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના શહેરીજનો માટે શહેરની નજીક રમણીયમય સ્થળ ઈશ્ર્વરીયા પાર્ક જન્માષ્ટ્રમીના પર્વ દરમિયાન રાત્રે ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખવાનું કલેકટર તત્રં દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે. લોકો રજાની મોજથી મજા માણી શકે તે માટે આ પાર્ક સવારથી રાત્રીના ૧૦ વાગ્યા સુધી ધમધમતો રહેશે.
જન્માષ્ટ્રમી પર્વમાં રાજકોટમાં સૌરાષ્ટ્ર્રભરમાંથી લોકો મેળાની મોજ અને પર્વનો અવસર માણવા ઉમટી પડે છે. રાજકોટ શહેરમાં ફરવાલાયક સ્થળો પૈકી એક ઈશ્ર્વરીયા પાર્ક છે. અત્યારે વરસાદી વાતાવરણને લઈને ગ્રીનરી પણ સારી હોવાથી પાર્કમાં વિશેષ આકર્ષણ રહે છે. શહેરથી થોડે દુર માધાપર પાસે આવેલા આ પાર્કને મોડી સાંજે બધં કરી દેવાતો હોય છે પરંતુ જન્માષ્ટ્રમીની રજાના દિવસો દરમ્યાન ઈશ્ર્વરીયા પાર્ક રાત્રે ૧૦ સુધી ચાલુ રહેશે તેમ કલેકટર પ્રભવ જોષી દ્રારા જણાવાયું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application