રાજકોટના ઈશ્વર ઘુઘરાવાળાની ચટણીમાં આંતરડાનું કેન્સર થાય તેવા કલરની ભેળસેળ

  • September 21, 2023 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટની નાસ્તા બજારમાં ખૂબ જાણીતા એવા ઈશ્વર ઘૂઘરા વાળાને ત્યાં ગ્રાહકોને ઘુઘરા સાથે પીરસવામાં આવતી ચટણીનું સેમ્પલ લઇ તેનું લેબોરેટરી પરિક્ષણ કરવામાં આવતા તેમાંથી જન આરોગ્ય માટે ઘાતક અને આંતરડાનું કેન્સર કરાવે તેવા તત્વોની ભેળસેળ મળતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ડેઝીેટેડ સિનિયર ફડ સેફટી ઓફિસર ડો.હાર્દિક મેતાએ જણાવ્યું હતું કે ફડ વિભાગ દ્રારા ઇશ્વરભાઇ ઘૂઘરાવાળા, હાથીખાના શેરી નં.૧૩, રામનાથ કૃપા બિલ્ડીંગ, રાજકોટ મુકામેથી ઇશ્વરભાઈ લાલજીભાઇ કાકુ પાસેથી લેવામાં આવેલ ખાધચીજ મીઠી ચટણીનો નમૂનો લઇ તેની તપાસ કરાતા તેમાં સિન્થેટિક ફડ કલર ટાટર્્રાઝીન અને સનસેટ યેલ્લોની હાજરી હોવાને કારણે નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાઇ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application