ઉનાળામાં ત્વચા સંબંધિત સમસ્યાઓ થતી હોય છે. તીવ્ર સૂર્યપ્રકાશ અને પ્રદૂષણ ત્વચામાંથી ભેજ છીનવી લે છે. આના કારણે ત્વચા પર સનબર્ન અને શુષ્કતા આવી શકે છે. જે લોકોની ત્વચા તૈલી હોય છે તેમને તીવ્ર સૂર્યપ્રકાશના સંપર્કમાં આવવાથી ખીલની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
જ્યારે, શુષ્ક ત્વચા ધરાવતા લોકોની ત્વચા ખેંચાયેલી રહે છે. આવી સ્થિતિમાં, ઉનાળામાં ત્વચા સંબંધિત કોઈપણ સમસ્યાઓથી બચવા માટે વધારાની કાળજી લેવાની જરૂર છે. આ ઉનાળામાં ત્વચાને ચમકદાર બનાવવા અને ત્વચા સંબંધિત અન્ય સમસ્યાઓથી બચવા માટે કેટલાક કુદરતી ઉપાયો અપનાવી શકો છો. જે માટે સ્કિન કેરમાં જુદીજુદી વસ્તુનો સમાવેશ કરી શકો છો.
દહીં
દહીંમાં લેક્ટિક એસિડ અને પ્રોટીન હોય છે, જે ત્વચામાં ભેજ જાળવી રાખે છે. ત્વચા પર દહીં લગાવવાથી માત્ર શુષ્કતા દૂર થતી નથી પરંતુ તે સનબર્નથી થતી બળતરાને પણ શાંત કરે છે. ઓછામાં ઓછા 15 મિનિટ સુધી ચહેરા પર દહીં લગાવીને રાખો. હળવા હાથે ચહેરાની માલિશ પણ કરી શકો છો. ઉનાળામાં સ્કિન કેર માટે આ રીત ખૂબ જ ઉપયોગી છે.
નાળિયેર તેલ
એક અહેવાલ મુજબ, નાળિયેર તેલમાં એન્ટીઑકિસડન્ટ અને એન્ટી ઇન્ફલેમેટરી ગુણધર્મો હોય છે - જે ત્વચાને ભેજયુક્ત બનાવે છે. તે ત્વચાના કોષોનું સમારકામ કરે છે અને સનબર્નથી રાહત આપે છે. રાત્રે ત્વચા પર નારિયેળ તેલથી હળવું માલિશ કરી શકો છો. તે સનબર્ન મટાડવામાં પણ ખૂબ ફાયદાકારક છે.
એલોવેરા
એલોવેરા ત્વચા માટે કોઈ ઔષધિથી ઓછું નથી. તેમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણધર્મો છે, જે સનબર્નને કારણે થતી બળતરા અને સોજો ઘટાડવામાં મદદ કરે છે. એલોવેરા ત્વચાને ઊંડો ભેજ પૂરો પાડે છે, જે શુષ્કતા દૂર કરે છે. ચહેરા પર એલોવેરા જેલ લગાવો અને થોડીવાર માટે રહેવા દો. પછી તેને પાણીથી ધોઈ લો. જેનાથી ત્વચામાં ભેજ જળવાઈ રહે છે.
આ ઉપરાંત, ઉનાળામાં ચહેરા પર ગુલાબજળનો ઉપયોગ પણ કરી શકો છો. ગુલાબજળ ત્વચાને ઠંડક આપે છે અને તેને હાઇડ્રેટ પણ રાખે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળાની શરૂઆતમાં ગુજરાતમાં 63 જળાશયોમાં 30 ટકાથી ઓછું જળસ્તર
March 26, 2025 12:58 PMજામનગરની બજારમાં પીળા તરબૂચની છે બોલબાલા...
March 26, 2025 12:42 PMજામનગરમાં બંધ મકાનમાં ચોરી કરનાર તસ્કર ઝડપાયો, ૪.૨૯ લાખનો મુદ્દામાલ કબજે
March 26, 2025 12:38 PMજામનગરમાં અંબર ચોકડીથી ડીકેવી સર્કલ સુધીના રોડ પર ગેરકાયદે દબાણ દૂર કરવામાં આવ્યા
March 26, 2025 12:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech