હિન્દુ સેનાએ અજમેર દરગાહને ભગવાન શિવનું મંદિર હોવાનો દાવો કર્યો છે. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ આ મામલે કોર્ટનો સંપર્ક કર્યો છે. તેણે અજમેર કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. તેમનું કહેવું છે કે ખ્વાજા ગરીબ નવાઝની અજમેર દરગાહ અગાઉ સંકટ મોચન મહાદેવ મંદિર હતું જેને ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ બનાવવા માટે તોડી પાડવામાં આવ્યું હતું. વિષ્ણુ ગુપ્તાએ દાવો કર્યો હતો કે દરગાહ હિન્દુ અને જૈન મંદિરોને તોડીને બનાવવામાં આવી હતી, જેના પુરાવા ઉપલબ્ધ છે.
પૂજાના અધિકારની માગણી
વિષ્ણુ ગુપ્તાએ કોર્ટમાં દરગાહને સંકટ મોચન મહાદેવ મંદિર જાહેર કરવા અને ત્યાં પૂજા કરવાનો અધિકાર આપવાની અપીલ કરી છે. તેમણે ત્યાં ASI સર્વે કરાવવાની પણ માંગ કરી છે. વિષ્ણુ ગુપ્તાએ જણાવ્યું કે અજમેરના હરવિલાસ શારદાએ તેમના પુસ્તકમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. આ પુસ્તકના આધારે વિષ્ણુ ગુપ્તાએ દિલ્હીના એડવોકેટ શશિ રંજન અને અજમેરના જેએસ રાણા મારફત પોતાનો કેસ દાખલ કર્યો છે.
કેસ બીજી કોર્ટમાં ટ્રાન્સફર
આ કેસની સુનાવણી આજે બપોરે 2 વાગ્યે થવાની હતી પરંતુ કોર્ટે કેસ અન્ય કોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો. કારણ કે કોર્ટના અધિકારક્ષેત્રનો મુદ્દો સામે આવ્યો હતો. વિષ્ણુ ગુપ્તાએ કહ્યું કે હવે અમે જિલ્લા ન્યાયાધીશ સમક્ષ બીજી અરજી દાખલ કરીશું અને આ કેસ કોના અધિકારક્ષેત્રમાં આવે છે તે કોર્ટમાં આગામી સુનાવણી માટે વિનંતી કરીશું. વિષ્ણુ ગુપ્તાના વકીલે કહ્યું કે અમે સિવિલ કેસ કર્યો હતો જે બીજી કોર્ટમાં ગયો હતો. અમે ડિસ્ટ્રિક્ટ જજ પાસે અરજી દાખલ કરીશું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech