દ્વારકા ભડથર ગામે ખેડૂત આપઘાત કેસમાં SITને સોંપાઇ તપાસ

  • October 11, 2023 09:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા ભડથર ગામે ખેડૂત આપઘાત કેસમાં SITને તપાસ સોંપવામાં આવી છે. જેમાં SP નિતેશ પાંડેય દ્વારા DySP કક્ષાના અધિકારીને તપાસ સોંપાઈ છે. ઉલ્લેખનીય છે કે, ભાયાભાઇ સાથે 2.5 કરોડની ઠગાઇ કરનારા 7 આરોપી વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. જેમાં ચાર આરોપી ઝડપાયા છે, જ્યારે ત્રણ હજૂ ફરાર છે.


સમગ્ર ઘટનાની વાત કરીએ તો દ્વારકાનાં ભડથર ગામે રહેતા ભાયાભાઈ ચાવડા સાથે કેટલાક શખ્શો દ્વારા રૂ. 2.5 કરોડની ઠગાઈ કરી હતી. જે બાદ ખેડૂતને તેઓ સાથે છેંતરપીંડી થઈ હોવાની જાણ થતા તેઓએ આપઘાત પહેલા વીડિયોમાં આપઘાત માટે જવાબદાર લોકોનાં નામ કહ્યા હતા. આ કેસની પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા પોલીસે  આરોપીઓને ઝડપા પાડવા ચક્રોગતિમાન કર્યા છે. 


હાલ તો ખેડૂતનાં આપઘાત કેસ મામલે SIT ને તપાસ સોંપવામાં આવી છે. આ મામલે એસપી નિતેશ પાંડેય દ્વારા DySp કક્ષાનાં અધિકારીને તપાસ સોંપાઈ છે. ભાડથર ગામનાં ખેડૂત વેપારી ભાયાભાઈ સાથે 2.5 કરોડની ઠગાઈ કરનારા સાત આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. જે પૈકી ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે ત્રણ આરોપી હજૂ પોલીસ પકડથી દૂર છે.  


ખેડૂતે આપઘાત કરતા પહેલા એક વીડિયો વાયરલ કર્યો હતો.જેમાં ખેડૂતે પાંચથી છ લોકો સામે છેંતરપિંડીનો ઉલ્લેખ કર્યો હતો. આ વીડિયોમાં કરેલા ઉલ્લેખની બાબતે પરિવારજનો દ્વારા એસ.પી.ને પણ સમગ્ર બાબતે રજૂઆત કરવા છતાં કોઈ પગલા ભરવામાં આવ્યા ન હોવાના પરિવાર દ્વારા આરોપ પોલીસ પર કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application