નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ રજૂ કર્યું. બજેટમાં ઘણી જાહેરાતો કરવામાં આવી છે, જેમાં 1 કરોડ વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ આપવાનું વચન પણ આપવામાં આવ્યું છે. નિર્મલા સીતારમણે જાહેરાત કરી છે કે સરકાર 500 ટોચની કંપ્નીઓમાં 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશિપ આપશે. દેશમાં રોજગાર અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રને મોટું પ્રોત્સાહન આપવા માટે સરકારે આ જાહેરાત કરી છે. ઇન્ટર્નશિપ પ્રોગ્રામ દ્વારા, વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીની શરૂઆતમાં સરકાર તરફથી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજના માટે સરકાર દ્વારા 1.48 લાખ કરોડ રૂપિયાનું બજેટ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓએ ફુલ ટાઈમ કોર્સ કર્યો છે અને તેમની ઉંમર 21 થી 24 વર્ષની વચ્ચે છે તેમને ઈન્ટર્નશિપ પ્રોગ્રામમાં તક મળશે. ઉપરાંત, ઇન્ટર્નશિપ માટેની પાત્રતા દરેક કંપ્નીની પ્રોફાઇલ અનુસાર નક્કી કરવામાં આવશે.
નોકરીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા વિશે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે, આ રાજકીય નથી, રોજગાર સર્જન હંમેશા અમારી પ્રાથમિકતા રહી છે અને અમે પાંચ યોજનાઓનું પેકેજ બનાવ્યું છે. ભૂતકાળમાં જોવામાં આવે તો, શું વચગાળાના બજેટમાં એવા પગલાંનો સમાવેશ થઈ શક્યો હોત જે ચૂંટણીમાં રાજકીય રીતે મદદરૂપ હોત? હું બજેટને અમે શું કરી રહ્યા છીએ તેનું નિવેદન માનું છું. વોટ ઓન એકાઉન્ટ તરીકે, મારી પાસેથી અપેક્ષા રાખવામાં આવી હતી કે જ્યાં સુધી નવી સરકાર ન આવે ત્યાં સુધી ખર્ચનું ધ્યાન રાખવામાં આવે. દેશમાં રિન્યુએબલ એનજીર્ માટે જરૂરી સોલાર રૂફટોપ સ્કીમને બાદ કરતાં અમે તેને એ જ રીતે આગળ ધપાવ્યું છે.
સરકારની રોજગાર અને કૌશલ્ય વિકાસ માટે આ ભવ્ય યોજનાની જાહેરાત બાદ સરકાર શ્રમ બજારમાં દખલ કરી રહી છે અને ખાનગી ક્ષેત્રને આદેશ આપશે. આ અંગે તંત્ર કઈ રીતે પગલા લેશે, તે વિશે જણાવતા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, તે કોઈના માટે ફરજિયાત નથી, અમે લોકોને આમ કરવા માટે પ્રેરિત કરી રહ્યા છીએ. ખાનગી ક્ષેત્રમાં કોણ ઘુસણખોરી કરી રહ્યું છે? ઇપીએફઑ તરફથી કોઈ મુશ્કેલી નથી. અમે શ્રમ મંત્રાલય અથવા કોર્પોરેટ બાબતોના મંત્રાલય દ્વારા તેને ધ્યાનમાં લઈશું. અમે કોઈના પર દબાણ નથી કરી રહ્યા, અમે સીઆઇઆઇ અને એફઆઇસીસી સાથે ઘણી ચચર્િ કરી છે અને તેમને લાગ્યું કે આ કરવું શક્ય છે. ખાનગી ક્ષેત્ર આ મામલે સરકારની ખરેખર મદદ કરશે કારણ કે તેમની પાસે ઉદ્યોગ માટે તૈયાર લોકો હશે જેમને રોજગારી આપી શકાય.
રોજગાર પર બજેટનો મોટો ભાર છે. સર્વેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દર વર્ષે 78.5 લાખ નોકરીની જરૂર છે. તેના માટે લેવાતા પગલા અંગે તેમણે જણાવ્યું હતું કે, સૌ પ્રથમ, આર્થિક સર્વે તે સંપૂર્ણપણે અર્થવ્યવસ્થાના દૃષ્ટિકોણથી કરે છે, તે વ્યવસાયો, ઉદ્યમીઓ માટે રોજગાર પેદા કરવાનું કામ છે. અમે આઠ વિશેષ પગલાં લીધા છે જે રોજગારી પેદા કરશે. એકવાર તે વેગ પકડે છે, ત્યાં ઘણા અન્ય લોકો હશે જેઓ પણ ઇન્ટર્નશીપ મેળવશે.
જે વિદ્યાર્થીઓએ આઇઆઇટી, આઇઆઇએમ, આઇઆઇએસઇઆર માંથી અભ્યાસ કર્યો છે તેમને આ યોજનામાં તક નહીં મળે. આ સિવાય જે વિદ્યાર્થીઓ સીએ અથવા સીએમએ જેવી ડિગ્રી ધરાવે છે. ઉપરાંત જો પરિવારનો કોઈ સભ્ય સરકારી કર્મચારી હોય અથવા ઈન્કમ ટેક્સના દાયરામાં આવે તો ઈન્ટર્નશિપ સ્કીમનો લાભ મળશે નહીં. પ્રારંભિક માહિતી અનુસાર, આ કાર્યક્રમમાં કઇ કંપ્નીઓને સામેલ કરવામાં આવશે તે કંપ્નીઓ પોતે જ નક્કી કરશે. પહેલા કંપનીઓ આ પ્રોગ્રામમાં જોડાવા માટે પહેલ કરશે, ત્યારબાદ તેમને લિસ્ટમાં સામેલ કરવામાં આવશે. ઈન્ટર્નશિપ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech