15 સ્થળોએ પર યોગ શિબિર અને મહાયોગ શિબિર યોજાઈ
ગુજરાત રાજ્યના આયુષની કચેરી વિભાગના નિયામકના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા 10 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં કુલ 12 સ્થળોએ પર યોગ શિબિરનું તેમજ 3 સ્થળોએ મહાયોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 2,240 લોકોએ લાભ લીધો હતો. આ ઉજવણીની સાથે સાથે 12 જગ્યાએ મેડીકલ નિદાન-સારવાર કેમ્પ, દૈનિક જીવનમાં ઉપયોગી થતી ઔષધિય ગુણ ઘરાવતા વૃક્ષોનું વૃક્ષારોપણ અને યોગની માહિતી પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
યોગ દિવસની ઉજવણીને સફળ બનાવવા આયુર્વેદ શાખાના મેડીકલ ઓફીસર વૈદ્ય રત્નાંગ દવે, વૈદ્ય વિશાલ કારાવદરા, વૈદ્ય પરેશ જેઠવા, વૈદ્ય જિજ્ઞા કુલર, યોગ ઇન્સ્ટ્રકટર અમિતભાઈ ગોહેલ, વિશાખાબેન ચૌહાણ, હસમુખભાઈ પરમાર, ભારતીબેન ગુપ્તા, સન્ની પુરોહિત, આરતીબેન જોશી અને શાખાના ભરતભાઈ, અભિષેકભાઈ, શીતલબેન, પ્રવીણભાઈ, રુચીતાબેન, વૈશાલીબેન, અમિતભાઈ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech