શહેરના નીલકંઠ પાર્ક વિસ્તારમાં રહેતી પરિણીતાએ નવી ઘાંચીવાડમાં રહેતા પતિ સહિતના સાસરીયાઓ સામે શારીરિક માનસિક ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી છે.
જાણવા મળતી વિગતો મુજબ, હાલ નીલકંઠ પાર્ક પાસે માવતરના ઘરે રહેતી નમીરાબેન નામની પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નવી ઘાંચીવાડમાં રહેતા પતિ હિદાયત સિદ્દીકભાઈ ફુફાડ, સાસુ મુમતાઝબેન જેઠ સરફરાજ અને ફઈજી સાસુ ઝરીનાબેનના નામ આપ્યા છે.પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીના લગ્ન ગત તા.5/11/ 2018 ના તેના સગા મોટા બાપુના પુત્ર હિદાયત સાથે થયા હતા. લગ્ન બાદ તે સંયુક્ત પરિવારમાં રહેવા માટે ગઈ હતી. પતિ અલંગ હાઉસમાં પરણીતાના પિતાની દુકાનમાં કામ કરતો હતો.
લગ્નના નવેક માસ બાદ પતિ, સાસુ, જેઠ જે મકાનમાં રહેતા હતા તે મકાન પરિણીતાના પિતાના નામે હોય જે તેમને રહેવા આપ્યું હોય આ મકાનની ફાઈલ માટે અવારનવાર ઝઘડો કરતા અને મારકૂટ કરતા હતા તેમજ આખો દિવસ જમવાનું આપતા ન હતા. તેમજ અવારનવાર ઘરેથી પૈસા લાવવાનું કંઈ હાથ ચાલાકી કરતા હતા.પરિણતાએ તેની માતાના ઘરે હતી ત્યારે જેઠનો ફોન આવ્યો હતો કે તું અહીંયા ઘરે આવ જેથી તેણે કહ્યું હતું કે તારે કામ હોય તો તું અહીં આવ કહી ફોન કટ કરી નાખ્યો હતો. બાદમાં જેઠ સરફરાઝ મમ્મીના ઘરેથી આજથી ત્રણેક વર્ષ પહેલા આવ્યો હોય ત્યારે ત્રણ ફડાકા મારી ગળુ દબાવ્યું હતું જે બાબતે ફરિયાદ કરી હતી. મકાનની ફાઈલ બાબતે સાસરિયાંઓ અવારનવાર ત્રાસ આપતા હતા અને કહેતા હતા કે ફાઈલ અમારા નામે કરી દો તો અમે તમારી દીકરીને તેડી જશું નહીંતર છૂટુ કરી નાખશું. આમ કહી તલાકની બે વખત નોટિસ આપી હતી. સમાધાન માટેના પ્રયત્નો કયર્િ હતા પરંતુ સાસરીયાઓ એ દરકાર ન લેતા અંતે પરિણીતાએ આ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, પતિ તેનું સ્ત્રીધન પણ ઓળવી ગયો હોય જેમાં બે સોનાના પાટલા, સોનાનો પેન્ડલ અને ચેન છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા, ત્રણ બાળકોના મોત, બેની શોધખોળ ચાલુ
March 15, 2025 11:07 PMગુજરાતમાં ટ્રાન્સપોર્ટરો માટે નવો નિયમ: ટોલ પ્લાઝા પર દસ્તાવેજો અપડેટ ન હોય તો ઈ-ચલણ
March 15, 2025 11:06 PMRTE પ્રવેશ માટે આવક મર્યાદામાં વધારો: ગરીબ અને વંચિતોને મોટી રાહત
March 15, 2025 11:04 PMરાજ્યમાં પોલીસની કડક કાર્યવાહી: 100 કલાકમાં ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા આદેશ
March 15, 2025 11:03 PMટોચના ગુજરાતી સહિત્યકાર રજનીકુમાર પંડ્યાનું 86 વર્ષની વયે નિધન
March 15, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech