કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકી ઠાર મરાયા

  • October 05, 2024 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકવાદીઓની ઘૂસણખોરીની કોશિશને સુરક્ષા દળોએ નિષ્ફળ બનાવી દીધી છે અને સામસામાં ગોળીબારમાં 2 આતંકીઓ ને ઠાર મરાયા છે, હજુ પણ અમુક આતંકી ઓ છુપાયા હોવાની શંકાના પગલે આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરો ઘાલ્યો છે.
સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.ઓપરેશન ગુગલધર હેઠળ સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કયર્.િ હાલમાં સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. કુપવાડામાં આતંકવાદીઓની ઘૂસણખોરીની બાતમી મળ્યા પછી, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાએ જિલ્લામાં સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને શંકાસ્પદ ગતિવિધિની જાણ થયા બાદ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે,  ઓપરેશન ગુગલધરમાં સુરક્ષા દળો દ્વારા બે આતંકવાદીઓને ખતમ કરવામાં આવ્યા છે. યુદ્ધ જેવા શસ્ત્રો તેમની પાસેથી જપ્ત કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં હજુ અમુક આતંકીઓ છુપાયા હોવાની શંકાએ શોધખોળ ચાલુ છે.
સૈન્યએ વધુમાં જણાવ્યું હતું કે સૈનિકોએ શંકાસ્પદ પ્રવૃત્તિ જોઈ અને આતંકવાદીઓને પડકાયર્,િ જેના કારણે ગોળીબાર થયો. આ વિસ્તારમાં ઘૂસણખોરીના પ્રયાસ થઈ રહ્યો હોવાની ગુપ્ત માહિતીના આધારે, ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા ગુગલધર, કુપવાડા ખાતે સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સતર્ક સૈનિકોએ શંકાસ્પદ પ્રવૃત્તિ જોઈ અને પડકાર ફેંક્યો, જેના કારણે આતંકવાદીઓ સાથે ગોળીબાર થયો હતો. સેનાએ કહ્યું હતું કે સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application