સ્વિગીએ વર્ષ ૨૦૨૪ માટે તેનો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યેા છે, જેમાં ભારતીયોની ખાવાની આદતો અને મનપસદં વાનગીઓ વિશે રસપ્રદ ડેટા રજૂ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, બિરયાનીએ ફરીથી દેશની સૌથી લોકપ્રિય વાનગી તરીકે પોતાનું સ્થાન બનાવી લીધું છે. વર્ષ ૨૦૨૪માં સ્વિગી પર કુલ ૮૩ મિલિયન બિરયાનીનો ઓર્ડર આપવામાં
આવ્યો હતો.
સ્વિગીના વાર્ષિક ડેટા દર્શાવે છે કે સમગ્ર વર્ષ દરમિયાન દર મિનિટે ૧૫૮ બિરયાનીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, એટલે કે દર સેકન્ડે લગભગ બે બિરયાની. રિપોર્ટ અનુસાર, ચિકન બિરયાની સૌથી વધુ પસદં કરવામાં આવી હતી, જેના ૪૯ મિલિયન ઓર્ડર નોંધાયા હતા.
આ રિપોર્ટ અનુસાર બિરયાનીનો ક્રેઝ દક્ષિણ ભારતમાં સૌથી વધુ જોવા મળ્યો હતો. હૈદરાબાદ ૨૦૨૪માં ૯.૭ મિલિયન બિરયાની ઓર્ડર સાથે બિરયાની લીડરબોર્ડમાં ટોચ પર હતું. આ પછી બેંગલુમાં ૭.૭ મિલિયન ઓર્ડર અને ચેન્નાઈમાં ૪.૬ મિલિયન ઓર્ડર હતા.
સ્વિગીના જણાવ્યા અનુસાર, રાત્રે ૧૨ થી સવારના ૨ વાગ્યાની વચ્ચે બિરયાની એ બીજો સૌથી લોકપ્રિય વિકલ્પ હતો. યારે આ વખતની ભૂખ સંતોષવામાં ચિકન બર્ગરે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત બિરયાની ટ્રેનોમાં પણ સૌથી વધુ ઓર્ડર કરવામાં આવતી વાનગી હતી. સ્વિગીએ આઈઆરસીટીસી સાથે ભાગીદારી કરી છે, જેના દ્રારા મુસાફરો તેમના ટ પર સ્ટેશન પર બિરયાની મંગાવી શકે છે.
આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે રમઝાન ૨૦૨૪ દરમિયાન સ્વિગી પર બિરયાનીની ૬૦ લાખ પ્લેટનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ દરમિયાન પણ હૈદરાબાદ જીત્યું અને અહીંથી ૧૦ લાખથી વધુ બિરયાનીની પ્લેટ મંગાવવામાં આવી.
સ્વિગીના રિપોર્ટમાં એક રસપ્રદ વાત એ પણ સામે આવી છે કે વર્ષની શઆતમાં પ્રથમ બિરયાનીનો ઓર્ડર કોલકાતાથી આપવામાં આવ્યો હતો. એક ગ્રાહકે ૧ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ સવારે ૪:૦૧ વાગ્યે બિરયાની ઓર્ડર કરીને તેના વર્ષની શઆત કરી. બિરયાનીનો આ ક્રેઝ માત્ર સ્વિગી પૂરતો મર્યાદિત નથી. ઝોમેટોના ૨૦૨૩ના અહેવાલમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે બિરયાની ભારતીયોની સૌથી પ્રિય વાનગી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMજમ્મુ કાશ્મીરમાં જામનગર વાસીઓ ફસાયા
April 24, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech