અવારનવાર યુરોપની યાત્રા કરતા ભારતીયો માટે મોટા સમાચાર છે. યુરોપિયન કમિશન ભારતીયોને નવા પ્રકારના શેન્જેન વિઝા આપશે, જે પાંચ વર્ષ માટે હશે અને તેના દ્રારા બહત્પવિધ એન્ટ્રી કરી શકાશે.યુરોપ જનારા ભારતીયો માટે એક મોટા સમાચાર આવ્યા છે. યુરોપિયન કમિશને શેંગેન વિઝા મેળવવા માંગતા ભારતીય નાગરિકો માટે નવી વિઝા કાસ્કેડ વ્યવસ્થા શ કરી છે. આ લાંબી અવધિ સાથે બહત્પવિધ એકસેસને મંજૂરી આપે છે. આ નવી વ્યવસ્થા, જે ૧૮ એપ્રિલથી લાગુ થશે, તે વિઝા કોડના માનક નિયમોને બદલે છે, જેનો ભારતીય પ્રવાસીઓને ફાયદો થશે.નવા નિયમ હેઠળ, જો ભારતમાં રહેતા ભારતીય નાગરિકોએ છેલ્લા ત્રણ વર્ષમાં કાયદેસર રીતે બે વિઝા મેળવ્યા છે અને તેનો ઉપયોગ કર્યેા છે, તો તેમને બે વર્ષ માટે મલ્ટિપલ એન્ટ્રી શેન્જેન વિઝા આપવામાં આવી શકે છે.આ વિઝા શઆતમાં બે વર્ષ માટે રહેશે. આ પછી તેને પાંચ વર્ષ સુધી વધારી શકાય છે. આ માટે શરત એ છે કે પાસપોર્ટ આગામી પાંચ વર્ષ માટે માન્ય હોવો જોઈએ. એકવાર નવા વિઝા મળ્યા પછી, પ્રવાસીઓ ૯૦ દિવસ સુધીના ટૂંકા રોકાણ માટે શેંગેન વિસ્તારમાં મુકતપણે ફરી શકે છે. જો કે, આગલી વખતે ફરીથી યુરોપ આવવા માટે અમારે ૧૮૦ દિવસ રાહ જોવી પડશે. પરંતુ આની સૌથી મોટી સગવડ એ છે કે તમારે વારંવાર વિઝા માટે અરજી કરવી પડશે નહીં
એક વિઝા સાથે ૨૯ દેશોની મુલાકાત લઈ શકાશે
શેન્જેન વિસ્તારમાં યુરોપિયન યુનિયનના ૨૫ સભ્ય રાયોની સાથે ૨૯ યુરોપિયન દેશોનો સમાવેશ થાય છે. એટલે કે એક જ વિઝા દ્રારા આ દેશોની મુલાકાત લઈ શકાય છે. શેન્જેન વિસ્તારમાં બેલ્જિયમ, બલ્ગેરિયા, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, જર્મની, એસ્ટોનિયા, ગ્રીસ, સ્પેન, ફ્રાન્સ, ઇટાલી, લાતવિયા, લિથુઆનિયા, લકઝમબર્ગ, હંગેરી, માલ્ટા, નેધરલેન્ડ, આસ્ટિ્રયા, પોલેન્ડ, પોર્ટુગલ, રોમાનિયા, સ્લોવેનિયા, સ્લોવેનિયા, સ્લોવેનિયાનો સમાવેશ થાય છે. , ફિનલેન્ડ, સ્વીડન, આઇસલેન્ડ, લિકટેંસ્ટેઇન, નોર્વે અને સ્વિટઝર્લેન્ડનો સમાવેશ થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech