રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ ઓછો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી, આ દરમિયાન રશિયા–યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદીના આદેશ બાદ રાષ્ટ્ર્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ રશિયાની મુલાકાતે જવાના છે.
ડોભાલની મોસ્કો મુલાકાત અંગેની માહિતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને યુક્રેનની મુલાકાતેથી પરત ફર્યા બાદ ટેલિફોન વાતચીત દરમિયાન પુતિનને આપી હતી. મોદીએ તેમને કહ્યું હતું કે ડોભાલ યુક્રેનમાં શાંતિ સંબંધિત વિચારો પર ચર્ચા કરવા માટે મોસ્કો જશે.
ડોભાલની રશિયાની મુલાકાત એવા સમયે થઇ રહી છે યારે પીએમ મોદી ૨૧ સપ્ટેમ્બરે સંયુકત રાષ્ટ્ર્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા ન્યૂયોર્કમાં હશે. પીએમ મોદી અહીં કવાડની બેઠકમાં પણ ભાગ લેશે, જેના સભ્યો ભારત, અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા છે. અમેરિકી રાષ્ટ્ર્રપતિ જો બાઈડેનની વિનંતી પર નવી દિલ્હીથી ડેલાવેર સુધી કવાડનું આયોજન કરવામાં આવ્યું છે. ડેલવેર બાઈડેનનું વતન છે. એવું માનવામાં આવે છે કે બાઈડેન અને પીએમ મોદી વચ્ચે યુક્રેનમાં શાંતિ અંગે પણ ચર્ચા થશે.
રશિયા–યુક્રેન યુદ્ધ વચ્ચે પીએમ મોદીના આદેશ બાદ રાષ્ટ્ર્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ રશિયાની મુલાકાતે જવાના છે. જો કે, તેઓ કઇ તારીખે રશિયા જશે તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી. અજીત ડોભાલની આ મુલાકાત રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ લાવવા માટે હશે. આ દરમિયાન અજીત ડોભાલ રાષ્ટ્ર્રપતિ પુતિનને પણ મળી શકે છે. યારે પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્ર્રપતિ સાથે ફોન પર વાત કરી ત્યારે પીએમ મોદીએ એનએસએને રશિયાની મુલાકાતે મોકલવાની વાત
કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર જુલાઈ મહિનામાં રશિયા ગયા હતા, યાં તેઓ રાષ્ટ્ર્રપતિ પુતિનને મળ્યા હતા અને કહ્યું હતું કે, આ યુદ્ધનો સમયગાળો નથી. રશિયા બાદ પીએમ મોદીએ ૨૩ ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લીધી અને રાષ્ટ્ર્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરી, આ દરમિયાન તેમણે કહ્યું કે ભારત હંમેશા શાંતિની વાત કરે છે. આ પછી, હવે ભારત ફરી એકવાર બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા માટે પગલાં લઈ
રહ્યું છે.
હાલમાં જ ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં બોલતા રાષ્ટ્ર્રપતિ પુતિને કહ્યું હતું કે તેઓ શાંતિના વિરોધી નથી તેમણે એમ પણ કહ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચેની શાંતિ મંત્રણામાં ભારત, ચીન, બ્રાઝિલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
યુદ્ધમાં ભારતની ભૂમિકાને લઈને પુતિનના નિવેદનના ૪૮ કલાક બાદ જ ઈટાલીના પીએમ યોર્જિયા મેલોનીનું નિવેદન સામે આવ્યું છે. તાજેતરમાં, ઇટાલીના પીએમ મેલોનીએ યુક્રેનના રાષ્ટ્ર્રપતિ ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ તેણે એ વાત પર પણ ભાર મૂકયો હતો કે ભારત રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે અને યુદ્ધને રોકી શકે છે. પીએમ મેલોનીએ કહ્યું કે, ભારત, ચીન જેવા દેશો રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMજામનગરમાં આજે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી
April 18, 2025 06:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech