કોમનવેલ્થ ગેમ્સ 2026 ગ્લાસગોમાં યોજાવાની છે. બીજી તરફ, ભારત 2030 માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે ઉત્સુક છે અને 2026માં ગ્લાસગો ગેમ્સમાંથી બહાર કરાયેલી બધી રમતોનું આયોજન અહીં કરવા માટે પણ તૈયાર છે જેથી દેશના મેડલ ટેલી પર કોઈ અસર ન પડે. રમત-ગમત મંત્રાલયના સૂત્રોએ આ માહિતી આપી. કોમનવેલ્થ ગેમ્સ 2030 ની યજમાની માટે ઈચ્છા દર્શાવતું ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે અને મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે આ પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થશે.
ભારતમાં એકમાત્ર કોમનવેલ્થ ગેમ્સ 2010 માં દિલ્હીમાં યોજાઈ હતી. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાંથી હોકી, બેડમિન્ટન, કુસ્તી, ક્રિકેટ અને શૂટિંગ જેવી રમતોને બાકાત રાખવાથી ભારતની મેડલની આશાઓને મોટો ફટકો પડ્યો છે. બજેટ કાપને કારણે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સમાં ફક્ત દસ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૂત્રએ જણાવ્યું હતું કે અમે કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન કરવા આતુર છીએ અને આ મુદ્દે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન સાથે ઔપચારિક વાતચીત થઈ ગઈ છે. અમે 2026 કોમનવેલ્થ ગેમ્સમાંથી બાકાત રાખવામાં આવેલી બધી રમતો ભારતમાં યોજવાનો અનૌપચારિક પ્રસ્તાવ પણ મૂક્યો છે.
ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન યોજાશે. તાજેતરમાં ભારતની મુલાકાતે આવેલા કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના સીઈઓ કેટી સેડલેરે કહ્યું હતું કે 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાથી 2036 ઓલિમ્પિકનું આયોજન કરવાની ભારતની આશાઓ વધુ મજબૂત બનશે. ભારતે 2036 ઓલિમ્પિકનું આયોજન કરવા માટે ઇરાદા પત્ર પહેલેથી જ સબમિટ કરી દીધું છે.
ગ્લાસગોએ ખર્ચ ઘટાડવા માટે ટેબલ ટેનિસ, સ્ક્વોશ અને ટ્રાયથ્લોન પણ છોડી દીધા છે. ત્યાં ફક્ત ચાર સ્થળોએ રમતોનું આયોજન કરવામાં આવશે. ગ્લાસગો ગેમ્સમાં એથ્લેટિક્સ, પેરા એથ્લેટિક્સ (ટ્રેક અને ફિલ્ડ), સ્વિમિંગ અને પેરા સ્વિમિંગ, રિધમિક જિમ્નેસ્ટિક્સ, ટ્રેક સાયકલિંગ, પેરા ટ્રેક સાયકલિંગ, નેટબોલ, વેઇટલિફ્ટિંગ, પેરા પાવરલિફ્ટિંગ, બોક્સિંગ, જુડો, બોલ અને પેરા બોલ, 3x3 બાસ્કેટબોલ અને 3x3 વ્હીલચેર બાસ્કેટબોલ ફક્ત આ દસ રમતોનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગામડું ફરી વાઇબ્રન્ટ બનવાનું છે: કેન્દ્રીય મંત્રી ડો.માંડવીયા
March 31, 2025 11:04 AMગીરસોમનાથ જિલ્લાના ગુનાહિત ઇતિહાસ ધરાવતા ૧૩૭ શખસો સામે કરાઇ કાર્યવાહી
March 31, 2025 11:02 AMવિસાવદર બેઠકમાં ચમરબંધીને ભોં ભેગા કરી દેવા મતદારો અચકાતા નથી
March 31, 2025 11:00 AMહળવદ સરા ચોકડીએ પિકઅપ વાનમાં ક્રુરતાપૂર્વક લઇ જતાં પાડા બચાવ્યા
March 31, 2025 10:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech