ભારતે ઇઝરાયેલને ગોલાન પર કબજો છોડવા કહ્યું, ભારતે આતંકવાદ અને નાગરિકોની હત્યાની કરી નિંદા

  • November 29, 2023 11:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈઝરાયેલ દ્વારા સીરિયાના ગોલાન પહાડી પરનો પોતાનો કબજો ન છોડવા પર ગંભીર ચિંતા ભારતે વ્યક્ત કરી છે અને ત્યાંથી હટી જવાની માંગને સમર્થન આપ્યું છે. ભારતે આ અંગે સંયુક્ત રાષ્ટ્રમાં કરાયેલા પ્રસ્તાવને સમર્થન આપ્યું છે.


ભારત, ચીન, રશિયા, બાંગ્લાદેશ, ભૂતાન, મલેશિયા, માલદીવ, નેપાળ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા અને UAE સહિત 91 દેશોએ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. જ્યારે અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ઈઝરાયેલ સહિત આઠ દેશોએ પ્રસ્તાવની વિરુદ્ધમાં વોટ આપ્યો. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે હમાસ દ્વારા ગાઝા પટ્ટીમાં બંધકોની મુક્તિનું સ્વાગત કર્યું છે.


ઈઝરાયેલે વર્ષ 1967ના યુદ્ધ દરમિયાન સીરિયાના આ ભાગ પર કબજો કર્યો હતો. તે પછી આંતરરાષ્ટ્રીય સમુદાયની વારંવાર વિનંતીઓ છતાં ઇઝરાયેલે ત્યાંથી તેના સૈનિકોને પરત બોલાવ્યા ન હતા. આ પછી વર્ષ 2019 માં અમેરિકાએ ગોલન હિલ્સને ઇઝરાયેલના ભાગ તરીકે માન્યતા આપી. ગોલાન હાઇટ્સ પર ઇઝરાયેલના કબજા અંગે ઇજિપ્ત દ્વારા રજૂ કરાયેલા ઠરાવના સમર્થનમાં ભારત સહિત 91 દેશોએ મતદાન કર્યું હતું, જ્યારે આઠ દેશોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.


કુલ 62 સભ્ય દેશો મતદાનથી દૂર રહ્યા હતા. ભારત, ચીન, રશિયા, બાંગ્લાદેશ, ભૂતાન, મલેશિયા, માલદીવ, નેપાળ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, UAE સહિત 91 દેશોએ ઠરાવને સમર્થન આપ્યું હતું. જ્યારે અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઈઝરાયેલ સહિત આઠ દેશોએ પ્રસ્તાવના વિરોધમાં મતદાન કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે હમાસ દ્વારા ગાઝા પટ્ટીમાં બંધકોની મુક્તિનું સ્વાગત કર્યું છે. બાકીના બંધકોને તાત્કાલિક અને બિનશરતી મુક્ત કરવાની જરૂરિયાત પણ વ્યક્ત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application