'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' શોમાં રણવીર અલ્હાબાદિયાના વાંધાજનક નિવેદન બાદ શરૂ થયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. મહારાષ્ટ્ર સાયબર સેલે હવે આ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. શોના તમામ એપિસોડમાં સામેલ તમામ લોકો સામે FIR દાખલ કરવામાં આવી છે. આટલું જ નહીં, 42 લોકોને સમન્સ પણ મોકલવામાં આવ્યા છે.
શું છે મામલો?
રણવીર અલ્હાબાદિયાએ શોમાં એક એવા સ્પર્ધકને પ્રશ્ન પૂછ્યો હતો જે વાંધાજનક અને અયોગ્ય હતો. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેમની ભારે ટીકા થઈ હતી. જેના કારણે આ મામલો પોલીસ સુધી પહોંચ્યો છે.
કોની સામે FIR અને સમન્સ?
મહારાષ્ટ્ર સાયબર સેલે શોના તમામ એપિસોડમાં સામેલ તમામ લોકો સામે FIR દાખલ કરી છે. જેમાં શોના કલાકારો, નિર્માતાઓ અને અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 42 લોકોને સમન્સ મોકલવામાં આવ્યા છે. જેમાં કેટલાક લોકોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં મહેસુલી અધિકારીઓની બેઠક યોજાઈ
April 16, 2025 05:35 PMનેહરૂ યુવા કેન્દ્રનું કાર્યાલય બેડેશ્વર સરકારી કોલોની ખાતે સ્થળાંતરીત કરાયું
April 16, 2025 05:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech