દેશના વિભિન્ન મિદ્દા પર ચર્ચા માટે 14 સપ્ટેમ્બર શનિવારના રોજ ઈન્ડિયા ટુડે ગ્રુપનો 'માઈન્ડ રોક્સ' કાર્યક્રમ શરૂ થઈ ચૂકી છે. 'માઈન્ડ રોક્સ 2024'નું આયોજન બેંગલુરુની પ્રેસિડેન્સી યુનિવર્સિટી કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ ક્ષેત્રોની ઘણી હસ્તીઓ ભાગ લેશે.
'માઈન્ડ રોક્સ' કાર્યક્રમ સવારે 11 કલાકે શરૂ થયો છે અને રાત્રે 9 કલાકે સમાપ્ત થશે. રાત્રે 9 કલાકે કેનેડિયન ગાયિકા જોનીતા ગાંધીના પરફોર્મન્સ સાથે તેનું સમાપન થશે. આ કાર્યક્રમના પ્રથમ મહેમાન ચેતન ભગત હતા. તેમના સત્રનું નામ ફિક્શન એઝ સોશિયલ કોમેન્ટરી ઇન મોડર્ન ઇન્ડિયા હતું. આ સેશનમાં તેમને મોડરેટર રાજદીપ સરદેસાઈ સાથે વાત કરી. ભારતના સૌથી પ્રખ્યાત અને સફળ લેખકોમાંના એક ચેતન ભગતે 'ઇન્ડિયા ટુડે માઇન્ડ રોક્સ યુથ સમિટ 2024'માં તેમની કારકિર્દી અને પુસ્તકો વિશે વાત કરી હતી.
છેલ્લા 20 વર્ષમાં ચેતન ભગતે અનેક ઉત્તમ પુસ્તકો લખ્યા છે. આમિર ખાનની ફિલ્મ '3 ઈડિયટ્સ' તેના પુસ્તક '5 પોઈન્ટ સમવન' પર આધારિત છે. ચેતને આ વિશે જણાવ્યું કે, તેમને પોતાના પુસ્તકમાં IIT વિશે સાચું કહ્યું છે. આ તેના મિત્રોની વાર્તા છે. '5 પોઈન્ટ સમવન' અને '2 સ્ટેટ્સ' બે પુસ્તકો છે, જે ચેતનના જીવન પર લખવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, કોઈપણ લેખકના જીવનને લગતી વાર્તાઓ ધરાવતું પુસ્તક સમાજ વિશે કંઈકને કંઈક સામે લાવે છે. આ રીતે જ કળા બને છે. કેટલાક લોકો એવા હોય છે કે, તમે આ કેવી રીતે બનાવ્યું, તમે આ કેવી રીતે લખ્યું. તો આ યોગ્ય નથી. જો તમને મહાન કલા જોઈએ છે તો આ ચોક્કસપણે તમને નારાજ કરશે. ચેતને કહ્યું કે, ફિલ્મ પર પ્રતિબંધ લગાવવો અને લોકોને જેલમાં ધકેલી દેવા એ ખોટું છે. અન્ય લોકોની અભિવ્યક્તિની સ્વતંત્રતા એ તમારી અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. જો તમે બીજાને કંઈક કહેવાથી કે કરવાથી રોકો છો, તો તે તમારી સાથે પણ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપક્ષીઓમાં કબૂતર સૌથી બુદ્ધિશાળી, જાણો કેમ તેને સંદેશાવાહક કહેવામાં આવતું
September 18, 2024 02:07 PMજામનગરમાં રૂ.17.48 લાખની છેતરપિંડી, ડીવાયએસપીએ આપી માહિતી
September 18, 2024 12:47 PMPETN શું છે? જેને હજારો પેજરમાં ફીટ કરીને 'મોસાદે' કર્યા વિસ્ફોટ
September 18, 2024 12:45 PMઆતિષીની CM તીરીકે પસંગી થતાં ઉત્તર પ્રદેશના અનંતપુર ગામમાં ખુશીની લહેર, જાણો શું છે આ ગામનું કનેક્શન
September 18, 2024 12:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech