પોરબંદરમાં ઇકોફ્રેન્ડલી ગણપતિ પ્રતિમાઓનું વધ્યુ વેચાણ

  • September 02, 2024 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જન્માષ્ટમીના તહેવાર પૂર્ણ થયા છે અને હવે પોરબંદર પણ મહારાષ્ટ્રની જેમ ગણેશોત્સવની ઉજવણી માટે તૈયારીઓ કરી રહ્યું છે ત્યારે પોરબંદર શહેરના એચ.એમ.પી કોલોની વિસ્તારમાં છેલ્લા ૧૬ વર્ષથી મારવાડી પરિવાર દ્વારા અવનવા ગણપતિજીના સ્વ‚પોની પ્રતિમાઓનું સર્જન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ એક ફૂટ થી માંડીને ચાર ફૂટ સુધીના ચોક પાઉડર વાળા ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવવામાં આવી રહ્યા છે અને શહેરીજનો તેની હોંશેહોંશે ખરીદી પણ કરી રહ્યા છે.
ગણેશોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે પોરબંદરના જુદા જુદા વિસ્તારોમાં ગણેશજીની પ્રતિમાઓનું વેચાણ થઈ રહ્યું છે.સમુદ્રમાં પી.ઓ.પી.ના ગણેશજી ની મૂર્તિથી પ્રદૂષણ ફેલાય છે ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી પોરબંદરની એચ.એમ.પી. કોલોની માં અવનવી ગણેશ પ્રતિમાનું સર્જન કરતા શંકરભાઈ મારવાડી પરિવાર દ્વારા આ વખતે પણ ચોક પાઉડરમાંથી તૈયાર થયેલી ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓ બનાવવામાં આવી છે. ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે એક ફૂટથી માંડીને ચાર ફૂટ સુધીની લંબાઇ ધરાવતા ગણેશજીના અવનવા સ્વ‚પોની પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમના દ્વારા મૂર્તિઓ રાજસ્થાન ખાતેથી તૈયાર કરીને લાવવામાં આવે છે અને અહીંયા તેને રંગ રોગાન કરીને અવનવા સ્વ‚પ આપવામાં આવે છે.
શંકરભાઈ મારવાડીએ જણાવ્યું હતું કે આ વર્ષે પણ ૧૫૧ ‚પિયાથી માંડીને ૫૫૫૧ ‚પિયા સુધીની કિંમતની અવનવી ગણેશ મૂર્તિઓ નું નિર્માણ કરવામાં આવ્યું છે વિશાળ સંખ્યામાં ગણેશ પ્રતિમાઓ તૈયાર કરવામાં આવી છે અને આ તમામ પ્રતિમા સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી છે કારણ કે ચોક પાઉડરથી બનાવવાથી પ્રતિમાઓનું તુરંત જ પાણીમાં વિસર્જન થઈ જતું હોય છે તેથી કોઈ નુકસાન થતું નથી માટે આવી મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની જેમ જ હવે ગુજરાતમાં અને ખાસ કરીને પોરબંદરમાં પણ ગણેશોત્સવની ઉજવણી માટે લોકોનો ઉત્સાહ વધી રહ્યો છે હવે માત્ર શેરી ગલીઓમાં નહીં પરંતુ ઘરે ઘરે ગણેશજીના વિવિધ સ્વ‚પોના સ્થાપન કરવામાં આવે છે તેથી પોરબંદરમાં ગણપતિની મૂર્તિઓનું વેચાણ દિવસે દિવસે વધી રહ્યું છે.
આમ પોરબંદરમાં ગણેશોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે ત્યારે જુદા જુદા વિસ્તારોમાં ગણેશ પ્રતિમા પણ વેચાઈ રહી છે અને અવનવા ગણેશજીનું સર્જન કરી રહ્યા છે પોતાનું પેટિયું રડવા માટે  છેક રાજસ્થાનથી પોરબંદર આવતા આ પરિવાર દ્વારા ગણેશજીની મૂર્તિઓ ભાવપૂર્વક બનાવવામાં આવી રહી છે ત્યારે તેમની કલાને લોકોએ પણ બિરદાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application