ખંભાળિયામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોના ખેત પેદાશના વેચાણ કેન્દ્રનો પ્રારંભ

  • May 02, 2023 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

        દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેત પેદાશના વેચાણ કેન્દ્રનો પ્રારંભ ખંભાળિયાની તાલુકા પંચાયત કચેરી ખાતેથી થયો છે. જેમાં જિલ્લામાંથી 14 જેટલા ખેડુતો દ્વારા ખેત પેદાશોનું વેચાણ કરવામાં આવ્યું હતું. આ શુભારંભ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના પ્રમુખ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

       પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ દર સોમવારે સવારે 9 થી 1 સુધી ખંભાળિયાની તાલુકા પંચાયત કચેરી ખાતે કરવામાં આવશે. કાર્યક્રમનું સંચાલન જિલ્લા ખેતીવાડી અધિકારી તેમજ પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા દ્વારા કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application