જામનગરમાં મેહુલનગર રોડ, ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલ શ્રી એમ. પી. શાહ મ્યુનીસીપલ વૃદ્ધાશ્રમમાં શ્રી જલારામ મેટલ એલોયસ વાળા મેહુલભાઈ જોબનપુત્રાના અનુદાનથી “રમીલાબેન ધીરજલાલ જોબનપુત્રા ઉપવન” નું નિર્માણ કરવામાં આવેલ છે.મેહુલભાઇએ તેમના માતા-પીતાને તેમના જન્મ દિવસની ઉજવણી રૂપે એમ.પી. શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમ ના નિવાસી વડીલોના લાભાર્થે વિશાલ ગાર્ડન ભેટ આપવાની અનોખી પહેલ કરેલ છે.
એમ.પી. શાહ વૃદ્ધાશ્રમના પટાંગણમાં ૧૦,૦૦૦ [દસ હજાર] ફૂટ ના વિસ્તારમાં વિશાળ ઉપવન બનાવવામાં આવેલ છે જેનું તા. ૩-૧૦-૨૦૨૪, પ્રથમ નોરતાના શુભ દિવસે સવારે ૧૧ વાગ્યે દાતા પરિવાર ના વડીલો ના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.શ્રી એમ. પી. શાહ વૃદ્ધાશ્રમ હંમેશા નિવાસી વડીલો અને અન્ય સીનીયર સિટીઝનના લાભાર્થે અનેક વિધ પ્રવૃત્તિઓ કરે છે. 'રમીલાબેન ધીરજલાલ જોબનપુત્રા ઉપવન* નો લાભ ફક્ત નવાસી વડીલો જ નહિ પણ જામનગર શહેર ના અન્ય વડીલો પણ લઇ શકશે. નિવાસી વડીલો સિવાયના અન્ય વડીલો સવારે ૯ થી ૧૧ અને બપોરે ૪ થી સાંજે ૬ વાગ્યા સુધી આ ઉપવાન નો લાભ લઇ શકાશે.
વૃદ્ધોની એકલતાના નિવારણ અર્થે અલગ અલગ સંસ્થાઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ વી. સાથે મેળાવડા તથા સંસ્કૃતિક કાર્યક્રમોનું સારી રીતે આયોજન પણ કરવામાં આવે છે.નિવાસી વડીલોને તેમની ઉમરના અન્ય વડીલોને મળવાનો મોકો મળી રહે તે માટે જામનગર શહેરના અન્ય સિનિયર સીટીઝન લોકો માટે પણ ઉપવન ઉપલબ્ધ રહેશે. જેથી અરસ-પરસ સુખ-દુ:ખ ની અલક મલક ની વાતો કરી જીવન ને વધુ જીવંત બનાવી શકે.
એમ. પી. શાહ વૃદ્ધાશ્રમ માં ફીઝીયોથેરાપી, વેક્સીનેશન સેન્ટર, યોગા-કેન્દ્ર વી. વિવિધ પ્રવૃતી પણ કરવામાં આવે છે જેનો નિવાસી વડીલો અને અન્ય વડીલો પણ લાભ લઇ શકે છે તેમ સંસ્થા ની યાદીમાં જણાવવા માં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMનિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
April 25, 2025 07:17 PMજામનગરના કાલાવડમાં કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:12 PMજામનગર : વેપારીઓ દ્વારા આજે સાંજે વેપાર ધંધા સજ્જડ બંધ
April 25, 2025 07:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech