પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત ડિસ્ટિ્રકટ મિનરલ ફાઉન્ડેશન, ગીર સોમનાથ દ્રારા રામનગર પે.સેન્ટર શાળા, કોડિનાર ખાતે સાંસદ રાજેશ ચૂડાસમાના હસ્તે .૧૬.૭૩ કરોડના કુલ ૩૨ કામોનું સામૂહિક લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ સામૂહિક લોકાર્પણ અવસરે જિલ્લ ા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લ ો ખનીજક્ષેત્રે સમૃદ્ધિ ધરાવતો જિલ્લ ો છે. પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત જિલ્લ ામાં ખનીજક્ષેત્ર ધરાવતા વિસ્તારનો સંતુલિત વિકાસ થાય તે માટે ડિસ્ટિ્રકટ મિનરલ ફડં અંતર્ગત શિક્ષણ, આરોગ્ય, સેનિટેશન, સિંચાઈ, જાહેર બાંધકામ સહિત વિવિધ વિભાગોના જરિયાત અનુસાર લોકસુખાકારી કામો હાથ ધરવામાં આવે છે. તેમ જણાવી વર્તમાન સમયમાં ચાલતા વિવાદો ના માર્મિક રીતે જવાબો આપતા જણાવ્યું હતું કે હત્પં સોમનાથ મહાદેવનો ગણ છું. મહાદેવ ના આશીર્વાદ થી થોડું ઝેર પી લઈશ પણ ઢીલો નહીં પડુ અને ગીર સોમનાથ જિલ્લ ાના લોકોનો વિશ્વાસ ભગં નહીં થવા દઉં આ જિલ્લ ાના લોકોના સુખાકારી માટેના તમામ સારા અને સાચા કામો જિલ્લ ાના વહીવટી ટીમ કરી રહી છે. વધુમાં જણાવ્યું હતું કે જિલ્લ ાની ખાણ ખનીજ ક્ષેત્રમાંથી થતી રોયલ્ટીની આવકમાંથી ૩૦ ટકા અને ૧૦ ટકા પ્રમાણે જે તે અસરગ્રસ્ત વિસ્તારમાં ફાળવવામાં આવે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અભિગમ અપનાવ્યો છે ગીર સોમનાથ જિલ્લ ો ખાણ ખનીજ ક્ષેત્રે સમૃદ્ધ જિલ્લ ો છે ખાણ ખનીજ વિસ્તારના આસપાસના ગામોના લોકોની પ્રાથમિક સુવિધા આ ફંડની રકમ માંથી વપરાય છે જે કામોમાં યેનકેન પ્રકારે વિલબં થતાં જિલ્લ ામાં છેલ્લ ા ત્રણ વર્ષના ૧૨૫૦ જેટલા કામો પડતર રહ્યા હતા જેમાંથી અમારા વહીવટી તંત્રની ટીમ દ્રારા સારા અને સાચા કામોને પ્રાધાન્ય આપીને ૩૨ કામો પૂર્ણ કરતા તેનું લોકાર્પણ કરતા આનદં અનુભવ્યો હતો આ કામો પારદર્શક રીતે અને ઝડપી પૂરા થતા પૂરા થાય તે માટે વહીવટી તંત્રએ સાંસદ રાજેશભાઈ ચુડાસમા નો આભાર વ્યકત કર્યેા હતો
લોકાર્પણ કાર્યક્રમમાં સ્થાનિક નેતા અને પદાધિકારીઓની ગેરહાજરી ઉડીને આંખે વળગી
કોડીનાર ખાતે યોજાયેલ લોકાર્પણ કાર્યક્રમ માં સ્થાનિક રાજકીય નેતા અને પદાધિકારીઓની ગેરહાજરી ઉડી ને આંખે વળગી રહે એવી હતી સૂત્રો માંથી જાણવા મળતી વિગત મુજબ કે જિલ્લ ા વહીવટી તત્રં દ્રારા સ્થાનિક રાજકીય નેતાઓને કે પદાધિકારીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું ન હોય જેથી કોઈ હાજર રહ્યા ન હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech