મહિલા પોલીસ માથકમાં ફરિયાદ નોંધાવાઈ
જામનગરમાં મહાવીર સોસાયટીમાં રહેતી એક પરણીતાને તેણીના શ્વસુર પક્ષના સભ્યોએ ત્રાસ ગુજારી ઘરમાંથી હાંકી કાઢી હોવાથી તેણીએ મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો છે, અને સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સંકર ટેકરી સિદ્ધાર્થ કોલોની માં રહેતી સવિતાબેન વશરામભાઈ મકવાણા નામની પરણીતાના લગ્ન ૨૦૦૯ ની સાલમાં જામનગરમાં મહાવીર સોસાયટીમાં રહેતા હસમુખ મનજીભાઈ રાઠોડ સાથે થયા હતા. લગ્નની શરૂઆતમાં સારી રીતે રાખ્યા પછી નાની નાની બાબતોમાં ઘરકામ બાબતે વાંક કાઢીને સવિતાબેન ને તેણીના સાસરીયાઓ દ્વારા મારકૂટ કરી ત્રાસ ગુજારવામાં આવતો હતો. અને તાજેતરમાં ઘરમાંથી હાંકી કાઢવામાં આવી હતી.
આથી તેણીએ જામનગરના મહિલા પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના સાસરીયાઓ પતિ હસમુખભાઈ મનજીભાઈ રાઠોડ, સાસુ મણીબેન મનજીભાઈ રાઠોડ, સસરા મનજીભાઈ લાલજીભાઈ રાઠોડ, નાણંદ રેખાબેન દીપકભાઈ ચૌહાણ, અને નણદોયા દિપકભાઈ કારાભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMએક્ઝિટ પોલના આંકડા વિશે ભાજપના નેતા બ્રિજભૂષણ સિંહે કહ્યું, 'હરિયાણા વિશે બોલવાની મનાઈ છે'
October 06, 2024 01:59 PMબેન્જામિન નેતન્યાહુએ ખામેનીની ધમકી પર કહ્યું, હુમલાનો જવાબ આપવો એ અમારો અધિકાર...
October 06, 2024 11:00 AMમુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક ઘરમાં ભીષણ આગ લાગતા, એક જ પરિવારના 7 લોકોના મોત
October 06, 2024 10:41 AMમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech