પિયા ૭૦ લાખની લેતી દેતી પ્રશ્ર્ને ત્રણ લોકોને ગોંધીને માર મારવાના ગુન્હામાં જૂનાગઢ જેલ હવાલે થયેલા પોરબંદરના હિરલબા જાડેજા અને તેના પાંચ સાગરિતો સામે સાઇબર ક્રાઇમનો ગુન્હો નોંધાતા જિલ્લા પોલીસવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને કેટલીક ચોંકાવનારી વિગતો જાહેર કરી હતી જેમાં કર્ણાટક, આંધ્રપ્રદેશમાં કરોડોના ડીજીટલ એરેસ્ટમાંથી અમુક રકમ હિરલબાના સાગરિતોના ખાતામાં જમા થયાનું ખૂલ્યુ છે તેથી પોલીસ આગામી દિવસોમાં જૂનાગઢ જેલમાંથી હિરલબા જાડેજાનો કબ્જો લઇને આગામી કાર્યવાહી હાથ ધરશે.
સર્ચ ઓપરેશન વખતે મળી આવ્યા હતા બેન્કના ડોકયુમેન્ટ
હિરલબા જાડેજાના ૭૦ લાખના લેતીદેતી પ્રકરણમાં કુછડીના ત્રણ લોકોને ગોંધી રાખવાના નોંધાયેલા ગુન્હા બાદ પોલીસે જ્યારે હિરલબા જાડેજાના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ ત્યારે કેટલીક બેન્કના દસ્તાવેજો સહિત મિલ્કતોના દસ્તાવેજો મળી આવ્યા હતા અને બેન્ક એકાઉન્ટ વિષે તપાસ કરવામાં આવતા સાયબર ક્રાઇમ પોલીસમથકના પી.એસ.આઇ. વી.આર. ચાવડાની તપાસમાં એવુ ખુલ્યુ હતુ કે કોટક મહિન્દ્રા બેન્કના ૧૪ જેટલા શંકાસ્પદ ખાતા પોરબંદરમાં હિરલબા સાથે સંકળાયેલા હોય તેવા લોકોના મળ્યા હતા જેમાં પાંચ જેટલા ખાતામાં સાઇબર ક્રાઇમના ગુન્હામાં છેતરપીંડીથી મેળવેલ ૩૫ લાખ ૭૦ હજાર જેવી માતબર રકમ આ ખાતામાં ટ્રાન્સફર થઇ હતી અને ટૂંકા ગાળામાં ખુલેલા ૧૪ ખાતામાંથી ૧૦ ખાતાનું એડ્રેસ હિરલબા જાડેજાનું નિવાસસ્થાન હતુ. તેથી બેન્ક મેનેજરના નિવેદનબાદ પોલીસે હિરલબા સહિત છ શખ્શો સામે સાઇબર ક્રાઇમ હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો.
પોલીસે આપી માહિતી
જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં એ.એસ.પી. સાહિત્યા વી. અને ગ્રામ્ય ડી.વાય.એસ.પી. સુરજીત મહેડુ પણ ઉપસ્થિત રહ્યા હતા. એસ.પી.એ માહિતી આપતા જણાવ્યુ હતુ કે હિરલબા જાડેજા તથા તેના માણસો હિતેશ ભીમા ઓડેદરા, પાર્થ સોનઘેલા, મોહન રણછોડ વાજા, અજય મનસુખ ચૌહાણ અને હિરલબાના ડ્રાઇવર રાજુ મેર તથા અન્ય તપાસમાં ખૂલે તે લોકોએ પૂર્વઆયોજિત કાવત રચી ગરીબ
(અનુ. છઠ્ઠા પાને)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech