ઉના પંથકમાં ઠેર ઠેર ગણેશજીની ધામધૂમપૂર્વક સ્થાપના કરાઈ

  • September 20, 2023 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે ઉના પંથકમાં વિવિધ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમા ઠેર ઠેર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. તેમજ શાળામાં વિદ્યાર્થીનીઓ દ્વારા પરંપરાગત લાવણી નૃત્ય સાથે બેન્જો પાર્ટીના તાલે તેમજ ડી જે ના તાલે ધામધુમથી ગણેશ મૂર્તિને લઈ જઈ સ્થાપના કરી વિધિવત પૂજન વિધિ, આરતી કરવામાં આવી હતી. ગણેશજીની મૂર્તિને ઘરે શહેરી વિસ્તારોમા, શાળાઓમાં તેમજ બજાર સહીતના વિસ્તારોમા અલગ અલગ ગ્રુપ દ્વારા વિવિધ શણગાર કરી સુશોભિત કરી સ્થાપન કરવામાં આવી હતી.ઉનામાં લલીતાબેન વિકાસ ફાઉન્ડેશન સંચાલિત એ.આર.ભટ્ટ સ્કૂલ દ્વારા શાળામાં ઉમંગ અને ઉત્સાહ સાથે ગણપતિ ભગવાનની સ્થાપના કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ ભરતભાઇ ભટ્ટ અને ખ્યાતિબેન ભટ્ટના હસ્તે માટીના શ્રીગણેશની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીનીઓ દ્વારા પરંપરાગત લાવણી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. અને ગણપતિ બાપા મોરિયાના નાદ સાથે વાજતે વાજતે ગણપતિ દાદાની સ્થાપના શાળા પરિવાર દ્વારા ધામધૂમથી કરવામાં આવી. આ પ્રસંગે આનંદ અને ઉલ્લાસપૂર્વક દુંદાળા દેવની શાસ્ત્રોક્ત વિધિ દ્વારા સ્થાપના કરી ગણપતિ દાદાને ખૂબ જ શ્રદ્ધા અને ભાવપૂર્વક શાળામાં આવકારવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application