સિદસરમાં ભેંસો બહાર કાઢવાના મામલે ખેડુત યુવાનને માર માર્યો

  • April 03, 2024 11:13 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બે શખ્સોએ લાકડી અને પથ્થરથી ઇજા કરીને ધમકી દીધી


જામજોધપુરના સિદસર ગામમાં રહેતા યુવાનની વાડીમાં ભેંસો આવી જતા બહાર કાઢવાના મામલે ઉશ્કેરાયેલા બે શખ્સોએ લાકડી અને પથ્થર વડે ખેડુત યુવાનને માર મારી ધમકી દીધી હતી.


જામજોધપુર તાલુકાના સિદસર ગામમાં રહેતા ખેતીકામ કરતા હેનરીકુમાર મહેન્દ્રભાઇ મલ્લી (ઉ.વ.42)ની વાડીમાં આરોપીઓની ભેંસો આવી જતા તેમણે ભેંસો બહાર કાઢવાનું કહેતા આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ ગત તા. 31 સવારના સુમારે પાવ વાડી વિસ્તાર શેઢા પાસે ફરીયાદીને અપશબ્દો બોલી, લાકડી વડે હુમલો કરી પથ્થર મોઢાના ભાગે મારી ઇજાઓ પહોચાડી હતી.


ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી આથી હેનરીકુમાર દ્વારા ગઇકાલે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં સિદસર વાડી વિસ્તારમાં રહેતા જેઠા વજા વંશ અને ગંધુ વજા વંશની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application